SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૯૩ ક્રિયાઓ કરવી, સ્વચ્છેદે શાસ્ત્રો વાંચવા અને વાંચીને શુષ્ક જ્ઞાની બની બેસવું, આ સંસારનું કારણ છે, મોક્ષનું સાધન નથી. પંડિતોને ઘણી મુશ્કેલીઓ હોય છે. ભણ્યા તો ખરા, શાસ્ત્રો વાંચ્યા, પંડિત થયા, જોરદાર લેક્ટરો પણ આપે છે. લોકો પણ પંડિતજી, પંડિતજી કહે છે, તાલીઓ પાડે છે, બહુમાન કરે છે, ફૂલહાર ચડાવે છે, કામળી ઓઢાડે છે. પણ તેમના મનમાં ઘણી ગૂંચવણ છે. પણ કોઈને પૂછી શકે નહિ. કોઈ પાસે બેસી દિલ ખોલી વાત કરી શકે નહિ. 'ઈન્દ્રભૂતિ (ગૌતમ સ્વામીજી) વિગેરે અગિયાર ગણધરો અંદર અંદર ભાઈઓ હતા, અને એકમેકના મનમાં સંદેહ અને શંકા હતી પણ એકમેકને પૂછી શકતાં ન હતાં. - ઈન્દ્રભૂતિ ભારતના સૌથી મોટા વિદ્વાન હતા. તેમને “આત્મા છે કે નહિ?'' એ શંકા હતી પણ તેઓ પાસે બેઠેલા વિદ્વાનને પૂછી શકતા ન હતા કે મને આત્મા વિશે શંકા છે. મને સમજાવશો? જો એમ પૂછે કે મને ખબર નથી, હું જાણતો નથી તો ઓલા કહેશે કે પંડિત થઈને તમે આટલું પણ જાણતા નથી? ઈન્દ્રભૂતિને ભગવાન મહાવીર મળ્યાં ન હોત તો ઈન્દ્રભૂતિ ક્યાં હોત? ભગવાન મહાવીર ઈન્દ્રભૂતિને જોતાં એમ કહે છે કે ભાઈ ! તારા મનમાં આત્મા છે કે નહિ, એ પ્રશ્ન છે ને? એ સમસ્યા છે ને? પણ વાંક તારો નથી. વેદના શબ્દોનો યથાર્થ અર્થ તને બેસાડતાં આવડતો નથી, અને તે તારા છંદે અર્થ બેસાડ્યાં છે માટે તારા મનમાં આ સમસ્યા થઈ છે. જો આ શબ્દો આ રીતે ગોઠવે તો તારા મનમાં જે સમસ્યા થઈ છે તે નીકળી જશે. સંગીત એને કહેવાય કે જ્યાં સ્વરોનું અનુસંધાન કરવામાં આવે અને માથાકૂટ એને કહેવામાં આવે કે જ્યાં સ્વરનું અનુસંધાન છૂટી જાય. તારું કોઈ સંગીત નથી, લયબદ્ધતા નથી, શબ્દોને ક્યાં બેસાડવા અને શબ્દોને ક્યાં વાપરવા એ કળા તને આવડતી નથી, અને તું કોઈને પૂછી શકતો પણ નથી. પંડિતોની બહુ મોટી પીડા છે. સંતોને પીડા નથી. સંતો બાળક જેવા નિર્દોષ હોય છે. જાણતા હોય તો કહેશે જાણું છું, અને ન જાણતા હોય તો નથી જાણતો એમ કહે. પંડિત જાણતો હોય તો કહે હું જાણું છું પણ ન જાણતો હોય તો કહેવાય કઈ રીતે કે હું નથી જાણતો? એનો અહં આવીને ઊભો રહી જાય. તે કહેશે “તારું માન છે, તારો મોભો છે, તું પંડિત છે, તું વિદ્વાન છે, હું નથી જાણતો તેમ બોલીશ નહિ, જો નથી જાણતો એમ બોલ્યો અને તારો અહંકાર ઓગળી ગયો તો મોક્ષ તારો છે, તારા હાથમાં છે, પણ તને અહીં રોકી રાખવો, એમાં અમારો આનંદ છે.” શુષ્કજ્ઞાની બનીને બેસવું એ સંસારનું કારણ છે. એથી એ હેય છે. હેય એટલે છોડવા લાયક. સ્વચ્છંદ હેય છે, છોડવા લાયક છે, ત્યજવા લાયક છે. સ્વછંદ જે રોકે તે જરૂર મોક્ષ પામે. સ્વચ્છંદ રોકાયા પછી યથાર્થ સ્વરૂપમાં સમ્યક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy