SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ મુશ્કેલ છે. જે સ્વછંદ રોકી શકતો નથી, તે કહે છે કે મને આ પસંદ છે માટે આ કરું છું. મને આમ જ ગમે માટે આ કરું છું. મને જે ગમશે તે જ કરીશ. મને ગમે છે, મને ગમે છે, મને ગમે છે-પણ વાસ્તવિકતા શું છે ? તે વિચારતો નથી. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે. અને એ રીતે ભૂતકાળ અનંત જીવો મોક્ષ પામ્યા છે. આ ઘટના ઘટી છે. એમ રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેમનામાં નથી, એવાં જિનેશ્વર પરમાત્માએવીતરાગ પરમાત્માએ કહ્યું છે. તો જીવે પોતાનું બળ ક્યાં વાપરવાનું? શરૂઆત ક્યાંથી કરવાની? સ્ટારટીંગ પોઈન્ટ ક્યાં છે? સ્ટારટીંગ પોઈન્ટ છે, પોતાનો સ્વછંદ રોકવો તે. પણ સાહેબ ! સ્વચ્છંદ એમ નહિ રોકાય, ઓલો અહંકાર તમને નિરાંતે બેસવા નહિ દે. તમારી માન્યતા, તમારી વૃત્તિઓ કળ કરીને બેસવા નહિ દે. ઘણી વખત તપ કરો, વ્રત કરો, અનુષ્ઠાન કરો પણ વૃત્તિને પોષવા માટે. એટલા જ માટે આપણે ઈચ્છીએ છીએ કે આવતાં જન્મમાં દેવલોક મળે. ઈન્દ્રની પદવી મળે, સાહ્યબી મળે. લોકો એમ માનતા હોય છે કે ચાલો ભાઈ, આ જન્મમાં તકલીફ પડી પણ આવતા જન્મમાં દેવલોકમાં જઈશું. ત્યાં મોટા કુંડ હશે. મોટી મોટી ઈન્દ્રાણીઓ હશે, હીરા માણેક હશે, ત્યાં અમે રહીશું. આમ ધર્મ કર્યો છે ખરો પણ પોતાની ઇચ્છાની ભવિષ્યમાં પૂર્તિ કરવા માટે કર્યો છે. પરિભ્રમણનું કારણ સ્વચ્છંદ છે. એ સ્વછંદ રોકવો એવી વાત પરમકૃપાળુ દેવને સાધકના હૃદય સુધી પહોંચાડવી છે, અને એમને એમ કહેવું છે કે “મને આ ગમે છે માટે હું કરું છું' આ રીતે કરેલી ક્રિયાઓ સ્વચ્છેદે થયેલ ક્રિયાઓ છે. સ્વચ્છંદને રોકવા સર્વ ક્રિયાઓ સદ્દગુરુની આજ્ઞાએ કરવી. ક્રિયાઓ, વિધિ, શાસ્ત્રવાંચન પણ સગુરુની આજ્ઞાએ કરવું, એ આપણી પરંપરા છે. સામાયિક પણ ગુરુ મહારાજની આજ્ઞા લઈને કરવાનું છે. હું સામાયિક કરું? ઈર્યાવહિયં પડિક્કમામિ? પ્રતિક્રમણ કરું? ગુરુદેવ ! ચૈત્યવંદન કરું? પ્રાણાયામ કરવો છે અમને આજ્ઞા આપો. હવે વિધિ ટ્રેડીશન થઈ ગઈ. ઈચ્છામિ ખમાસમણો', ગાડી ગબડાવી ગયા અને ક્રિયા પૂરી થઈ, એમ ન થાય. સામાયિક પારતી વખતે પણ સામાયિક કરનાર પૂછે છે કે સામાયિક પારું? અને ગુરુદેવ કહે છે, “પુનરપિ કાયવ્યમ્.' ફરી કરવા યોગ્ય છે. સામાયિક પારવા જેવી નથી. સામાયિકમાંથી બહાર જવા જેવું નથી. પણ પછી એમ કહે છે કે સંજોગ એવા છે, બેસાય તેવું નથી, ટાઈમ પૂરો થયો છે, અને સામાયિક પાર્યું તો ગુરુદેવ કહે છે કે “આયારો ન મોત્તવો', સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, ચૈત્યવંદન જે કંઈપણ વિધિ કરીએ તે આજ્ઞા લઈને થાય. કાયોત્સર્ગ કરતી વખતે પણ હું કાઉસગ્ગ કરું? અને ગુરુદેવ કહે છે “કરો.” આ જીવનો કોઈપણ રીતે અહંકાર ઓગાળવો છે, અને એટલા માટે કહે છે કે સ્વચ્છેદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy