SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ છે. અને આ રીતથી અનંત જીવો મોક્ષ પામ્યા છે. આટલી બધી મહત્ત્વની વાત જો હોય તો જાણવું જરૂરી છે કે શું કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય? તમામ પ્રકારની સાધનાઓ જેમ કે ધ્યાનની સાધના હોય કે મંત્રજપની હોય, ધર્મની હોય કે સ્વાધ્યાયની હોય, તત્ત્વ ચિંતનની કે પૂજાપાઠની હોય, સ્તોત્ર પાઠની હોય, કે ભક્તિની હોય, પણ સૌથી પહેલાં સાધકે શું કરવું? ક્યાંથી શરૂઆત કરવી? સમ્યક્દર્શનની સાધના અને યોગની વિવિધ પ્રકારની સાધનાઓ કરતાં પહેલાં સાધકે સૌથી પહેલાં શું કરવું જોઈએ? આ ગંભીર પ્રશ્ન લઈને પરમકૃપાળુ દેવ વાત કરી રહ્યા છે, તેનું એક કારણ એ છે કે આજ સુધીમાં અનંત જન્મોમાં અનંત પ્રકારની સાધનાઓ જીવે કરી છે. છતાં તે નિષ્ફળ ગઈ છે. આ ધરતી ઉપર કોઈ પણ જીવ એવો નથી કે જે અકામ નિર્જરા કરતો ન હોય, પુણ્યનો બંધ કરતો ન હોય, શુભભાવ કે શુભ પ્રવૃત્તિ કરતો ન હોય, વર્તમાનમાં ભલે તે નાસ્તિક દેખાતો હોય છતાં પણ કોઈ જન્મમાં એણે ત્યાગ પરોપકારની સાધના કરી હશે. આ જગતમાં અનંતકાળમાં અનંતવાર અનંત પ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થઈ? નિષ્ફળ કેમ ગઈ? નિષ્ફળ કેમ ગઈ તે નેગેટીવ એપ્રોચ અને સફળ કેમ ન થઈ એ પોઝીટીવ એપ્રોચ છે. એવું શું બાકી રહ્યું હતું જે આ જીવે નથી કર્યું? જ્યાં સુધી આ સ્પષ્ટ નહિ થાય ત્યાં સુધીમાં સાધનાનો પાયો નહિ નંખાય. સાધના આપણે કરીએ છીએ છતાં એવું કંઈક રહી જાય છે જેના કારણે સાધનાનું યથાર્થ પરિણામ આવ્યું નથી. પરમકૃપાળુ દેવે આ ગાથામાં કહ્યું કે તમે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશો. અનંત જીવો મોક્ષને પામ્યા છે-તેમ નિર્દોષ જિનેશ્વર પરમાત્માએ કથન કર્યું છે, પણ તે મોક્ષ થાય ક્યારે ? - હવે પહેલી કડી લઈએ કે “રોકે જીવ સ્વછંદ તો.” આપણે આ કડી છેલ્લી લીધી, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યુંજિન નિર્દોષ.” આ પ્રસ્તાવના છે. પણ શેનાથી આ પ્રાપ્ત થાય? શું નથી કર્યું આ જીવે? સ્વછંદ રોક્યો નથી. “રોકે જીવ સ્વચ્છેદ તો”, “તો' શબ્દ વાપર્યો. આ જીવ સ્વચ્છંદનો ત્યાગ કરે, સ્વચ્છંદનો પરિહાર કરે, તો સ્વચ્છંદ શબ્દને સમજી લઈએ. સ્વ અને છંદ આ બે મળીને સ્વચ્છેદ શબ્દ થાય છે. સ્વના બે અર્થો થાય. એક અર્થ સ્વરૂપ, આ ઠેકાણે સ્વરૂપ અર્થ નહિ લેવાય કારણ કે સ્વરૂપનું તેને ભાન નથી તો સ્વચ્છંદમાં સ્વ શબ્દનો શું અર્થ કરશો? સ્વમાં ઘણો જમેલો છે. મૂળમાં અનેક વૃત્તિઓનો સંગ્રહ છે. એ બધું લઈને એક સ્વરૂપ જે તૈયાર થયું તેને કહેવાય છે અહમ્. સ્વ એટલે અહમ્. અનંતકાળમાં સ્વરૂપનું ભાન આત્માને થયું નથી પણ સ્વ એટલે અહમનું ભાન આત્માને જરૂર છે. છંદ એટલે નાદ, નાદ એટલે ટેવ. ટેવ એટલે વૃત્તિ, ટેવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy