SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા એટલે આદત. એનું એ કરવાની ટેવ તેને કહેવાય છે છંદ. કોનો છંદ? અહમનો છંદ. વૃત્તિઓ છે, શાસ્ત્રજ્ઞાન છે, વિવિધ ક્રિયાઓ છે. તેમાં પોતાને ગમે, પોતાનો અહમ્ પોષાય, મનને પસંદ પડે, અહમના કહેવા પ્રમાણે ગમે એવી પોતાની ઇચ્છા, પોતાનું ડહાપણ, તે ડહોળતાં ડહોળતાં આ જીવે ઘણી મથામણ કરી છે પણ પાર નથી આવ્યો, કારણ કે જીવાત્માને સ્વરૂપનું જ્ઞાન નથી. સ્વરૂપનો અનુભવ ન હોય ત્યારે પાંચ સત્તાઓ કામ કરે છે. પહેલી સત્તા-અજ્ઞાનની છે. સૌથી મોટી સત્તા આ અજ્ઞાનની છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે, અજ્ઞાન ખલુ કષ્ટમ્.” અજ્ઞાન જેવું જગતમાં બીજું કોઈ કષ્ટ નથી. એક યજ્ઞનો મંડપ હતો. હજારો બ્રાહ્મણો ભેગાં થયા છે. યજ્ઞ ચાલી રહ્યો છે. મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, આહુતિઓ અપાઈ રહી છે. ઘી હોમાઈ રહ્યું છે. મોટા મોટા બ્રાહ્મણો તિલક કરી બેઠાં છે. તેમણે ગળામાં માળાઓ પહેરી છે. હજારો માણસો સત્કાર કરે છે અને તેની વચ્ચે સ્વાહા સ્વાહાનો પાઠ ચાલે છે. તે વખતે બે મુનિઓ મંડપની બહાર ઊભા રહીને જોરથી ઉદ્ઘોષણા કરે છે. ‘પદો વષમ, દો ણમ, તત્ત્વ ન જ્ઞાયતે પરમા” બહુ દુઃખો સહન કરો છે, બહુ દુઃખો વેઠો છે, બહુ તકલીફો સહન કરો છે પણ તત્ત્વને જાણતા નથી. યશોવિજયજી મહારાજે ભારે કટાક્ષ કર્યો છે. તેમણે એમ કહ્યું, જો માત્ર કષ્ટ સહન કરવાથી ધર્મ થતો હોય તો. બળદ થાય તો સારું. જે લોકો સાધના કરે છે તેના ચરણોમાં નમસ્કાર કરીને વાત કરીએ છીએ, ટીકા નથી, પણ અહીં અજ્ઞાનની સત્તા છે. દશવૈકાલિકમાં કહ્યું કે અજ્ઞાની પુણ્યને જાણતો નથી. પાપને પણ જાણતો નથી. આશ્રવ, સંવર કે નિર્જરાને જાણતો નથી. બંધના કારણોને જાણતો નથી, મોક્ષના ઉપાયોને જાણતો નથી. તેવો અજ્ઞાની અહિંસાની સાધના કેવી રીતે કરશે? જીવનમાં સૌથી મોટો અવરોધ કોઈપણ હોય તો એ અજ્ઞાનનો અવરોધ છે. માટે આત્મસિદ્ધિશાસ્ત્રના પ્રારંભમાં પરમકૃપાળુ દેવે બહુ પ્રેમપૂર્વક કહ્યું કે : જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. તેમણે સ્વરૂપના અજ્ઞાનની વાત કરી અને અજ્ઞાન શબ્દનો અર્થ આપણે અનેકવાર કર્યો છે. નથી જાણતો તેમ નહિ, નથી ભણ્યો તેનું નામ અજ્ઞાન નહિ. અભણ અને અજ્ઞાની બંને વચ્ચે ફરક છે. અભણ જ્ઞાની હોઈ શકે છે, અને ભણેલો અજ્ઞાની હોઈ શકે છે. ભણેલા માઠું ન લગાડશો. તુકારામ અને કબીર ભણ્યાં ન હતાં. કબીર તો કહે છે કે હું કાગળ અને શાહીને અડ્યો જ નથી, પણ “મેં કહેતા આંખન દેખી, ઔર તુમ કહતે હો પાન મેં દેખી.” હું તો આંખથી જોયેલ કહું છું, અને તમે તો શાસ્ત્રોમાં લખેલા પાનામાં વાંચીને કહો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy