SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૧ ત્યારે કહેશે નહાવું ઘોવું, બસ આ આપણો ધર્મ. એક વૈદ્ય સીંગાપોર લોટો લઈને ગયા. લોટાને સાફ કરે, ઘસે અને એમાં જ પાણી પીએ. હિન્દુસ્તાનમાં આવ્યા પછી તેઓ લોકોને કહે “દેખો હમ સીંગાપોર મેં રહે, સબ કિયા, દારૂ પિયા, માંસાહાર કિયા, દુસરા ભી જો કામ થા વો ભી સબ કિયા, લેકિન લોટા બરાબર ચોખ્ખા કિયા.' આનો ધર્મ લોટામાં આવ્યો. કોઈનો ધર્મ લોટામાં તો કોઈનો ધર્મ સોટામાં. પરમકૃપાળુદેવ “ઉદ્ઘોષણા કરે છે. કરી મતાંતર ત્યાજ્ય. શાસ્ત્રો જે વખતે વાંચો તે વખતે કુલધર્મને મતને લઈને બેસો નહિ. જોગી કે ઘર ચેલી', બાવાઓના ઘેર જાય ત્યારે ચલમ ભરે. ચલમ ભરવી, ચિપિયો રાખવો, પછાડવો આ બાવાઓનું મોટું કામ. “કલમા પઢ પઢ ભાઈ રે તુરકડી', મુસલમાનના ઘરમાં ગયાં તો કલમો પઢી પઢીને તે તુરકડી થઈ. આ બુદ્ધિ જ્યાં ગઈ ત્યાં ઢળી ગઈ. બુદ્ધિ સત્ય તરફ ઢાળવી એવું શાસ્ત્ર કહે છે. તે પ્રમાણે જે કરે તે મુમુક્ષુ. આ મોટું કામ છે. ભ્રાન્તિ છોડીને બુદ્ધિને વાળવી પડશે. બહુ દુઃખની વાત છે કે શાસ્ત્રો બ્રાન્તિ દૂર કરવા માટે છે, તેના બદલે શાસ્ત્રોનો ઉપયોગ ભ્રાન્તિ વધારવા માટે કરવામાં આવે તો જીવનો છૂટકારો કેવી રીતે થાય? કયો આધાર છે તેના માટે ? તમામ શાસ્ત્રો આત્માર્થે જ વિચારવાં. આત્માનું હિત કે આત્મલક્ષ રાખી, જ્ઞાની પુરુષ પાસે અભ્યાસ કરવા યોગ્ય છે. અધ્યાત્મ શાસ્ત્રો, ખાસ કરીને દ્રવ્યાનુયોગના પરમ ગંભીર શાસ્ત્રો જીવંત જ્ઞાની પાસે તેના સમીપમાં રહીને અભ્યાસ કરવા યોગ્ય છે. અથવા તેમની આજ્ઞાએ આરાધન કરવા યોગ્ય છે. આવું આરાધન તમે નિત્ય કરજો. જો આ પ્રમાણે ન કરે તો શું થાય? ચાર પરિણામો આવે. પહેલું પરિણામ સ્વચ્છેદ પોષાય.” આગળની ગાથામાં કહ્યું છે કે આધ્યાત્મિક સાધનામાં પ્રવેશ જેને કરવો છે તેણે સૌથી પહેલું કામ શું કરવું પડે કે જે કર્યા વગર આધ્યાત્મિક સાધનાનો પ્રારંભ કોઈ સંજોગોમાં થઈ શકે નહિ, તેથી પરમકૃપાળુ દેવ કહે છે કે “રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ અદ્ભુત ગાથા છે. અનંતકાળમાં જીવને જે ભ્રમણા થઈ છે, તેનું જે અહિત થયું છે તે સ્વચ્છંદના કારણે થયું છે. પોતાનો છંદ પોષાય છે, શાસ્ત્રો વાંચતા વાંચતા પણ પોતાનો છંદ પોષાય. પોતાને જે ગમે તેવો અર્થ તારવે. જે માને છે તેવો અર્થ તારવે અથવા કોઈ કોઈ વખત પોતાની બુદ્ધિ વિશેષ છે તેમ માની શાસ્ત્રોનાં અર્થ બદલાવે. બીજું પરિણામ વિપરીત બુદ્ધિ ગાઢ થાય.” પોતાનો મત સ્થાપે, આ મૂર્ખ માણસોના ખેલ નથી. ભણેલા ગણેલા બુદ્ધિશાળીના ખેલ છે. દુનિયામાં કોઈ મત ઓછી બુદ્ધિવાળાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy