SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ સ્થાપ્યો નથી, પણ પ્રખર બુદ્ધિવાળાઓએ જ સ્થાપ્યો છે. મતમતાંતર તેમણે કર્યા છે. દર્શન મોહ અંદર કામ કરે છે, અને બહારથી આ બુદ્ધિની ભૂમિકા લઈને વિપરીત અર્થ કરે છે. તેથી વિપરીત બુદ્ધિ ગાઢ થાય છે. અને ત્રીજું પરિણામ “અજ્ઞાનદશાને જ્ઞાનદશા મનાવે.” મુક્તાબાઈ નવ વર્ષના હતાં. જ્ઞાનેશ્વર, નિવૃત્તિનાથ, સોપાન અને મુક્તાબાઈ એમ ત્રણ ભાઈઓ અને એક બહેન હતાં. ચાંગદેવ ચૌદશો વર્ષના હતાં. તેઓને ચાર વેદ, અઢાર પુરાણો, બધા ઉપનિષદો કંઠસ્થ હતા. દુનિયાભરના શાસ્ત્રોમાં તેઓ નિપુણ હતા. નવ નિધિ તેમના આંગણે ઊભી રહે, અષ્ટમહાસિદ્ધિ તેમની દાસી હતી અને યોગસાધના કરીને પ્રબળ શક્તિઓ તેમણે પ્રાપ્ત કરી હતી, છતાં અંદરથી તેઓ ખાલીખમ હતાં. પહેલી વખત મુક્તાબાઈના સંપર્કમાં જ્યારે આવ્યાં ત્યારે મુક્તાબાઈએ કહ્યું, ચાંગ્યા? આ કાગળ જેમ કોરો છે તેમ તું પણ બિલકુલ કોરો રહી ગયો. નવ વર્ષની મુક્તાબાઈના આવા શબ્દો ચાંગદેવે પ્રેમપૂર્વક સાંભળ્યા, આ તેમની પાત્રતા. મુક્તાબાઈ ચાંગ્યા કહે અને ચાંગદેવ સાંભળે. આપણને કોઈ કંઈ કહી તો જુએ? સાહેબ! જરા બોલતાં તો શીખો, મારું પૂરું નામ આ પ્રમાણે છે, નોંધી લ્યો. હવે પછી બોલતી વખતે સંભાળજો. ચાંગદેવ કોરો રહી ગયો હતો. અજ્ઞાનદશામાં જ્ઞાનદશા મનાઈ જાય, આના જેવું જગતમાં બીજું કોઈ મોટું જોખમ નથી. અજ્ઞાની એટલે અભણ નહિ, મોટો વિદ્વાન પણ અજ્ઞાની હોય. મોટો વક્તા પણ અજ્ઞાની હોય અને મોટો મહંત પણ અજ્ઞાની હોય. એના માટે ભગવતી સૂત્રમાં પ્રમાણ આપ્યું છે. પરમકૃપાળુ દેવે કહ્યું, હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. નવપૂર્વ ભણ્યા હોય છતાં જીવને જાણ્યો ન હોય તેની ખતવણી અજ્ઞાનીના લીસ્ટમાં થાય. આ કહે છે કે વચ્ચે એક ખાતું પાડી બુદ્ધિમાનોનું, એમાં અમને મૂકો. ખાતા બે જ છે. એક અજ્ઞાનીનું અને બીજું જ્ઞાનીનું. નવપૂર્વભણીને પણ જીવને જાણ્યો નથી એ અજ્ઞાનદશા છે. મોટા આચાર્ય હોય અને પાંચસો શિષ્યોના ગુરુ હોય, મોટો આશ્રમ હોય, હજારો તપસ્વીઓના ગુરુ હોય, આવું હોવા છતાં અજ્ઞાન દશા હોય. અજ્ઞાનદશા હોય તો ભલે હોય પણ અજ્ઞાનદશામાં જ્ઞાનદશા મનાવવી તે ભૂલ છે. અજ્ઞાન દશા હોય તો પણ તક છે, અવસર છે પણ અજ્ઞાનદશામાં જ્ઞાનદશા મનાઈ ગઈ તો કોણ સુધારશે? કોણ પરિવર્તન લાવશે? કોણ ક્રાંતિ કરશે? એક ભાઈ અમને વર્ષો પહેલાં કહેતાં હતાં, “સાહેબ ! આમ તો મારી તબિયત સારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy