SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ કોઈ દવા તમે તમારી જાતે લો, તેનું પરિણામ કદાચ સારું આવે અને ઘણીવાર ઉલટું પણ આવે, પણ નિષ્ણાત ડૉક્ટરોએ કહ્યું હોય કે આ દવા લો તો તે દવાનું વિપરીત પરિણામ ન આવે, માટે એમ કહ્યું કે શાસ્ત્ર સુપાત્ર જીવને આધાર છે. પણ તેથી વિશેષ આધાર “સરુએ કહ્યાં’ એના ઉપર છે. બહુ આનંદની વાત કે સદ્દગુરુ એમ કહે તમે આત્મસિદ્ધિ વાંચજો, સદ્ગુરુ એમ કહે કે તમે અધ્યાત્મસાર જોજો, સદ્ગુરુ એમ કહે કે જ્ઞાનસાર જોજો, તેનો અર્થ એવો થાય કે આપણાં માટે જે યોગ્ય છે તેની પસંદગી કરીને સદ્ગુરુએ આજ્ઞા કરી. આપણને પણ વાંચતી વખતે આનંદ થાય કે મારા સદ્દગુરુદેવે આ શાસ્ત્રનું અવગાહન કરવાનું કહ્યું છે, એટલે કરું છું. “અથવા સદ્ગુરુએ કહ્યા, જે અવગાહન કાજ', આટલા વાક્યથી પૂરું થતું નથી. વચમાં બીજી ભલામણ, ચેતવણી આપી. “આ શાસ્ત્રો મત મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં.” શું કરવા કહ્યાં? મતમતાંતર માટે? અલગ ચોકો કે અલગ વાડા માટે? અલગ માન્યતા માટે? અલગ ગ્રુપ ઊભા કરવા માટે? ના, ના. આ શાસ્ત્ર સર્વ કહ્યાં વિશેષ જીવ કરવા નિર્મળો. આ શાસ્ત્રો નદી છે, આ શાસ્ત્રો ગંગા છે. ગંગામાં સ્નાન કરીને જેમ મળ દૂર કરવાનો છે તેમ શાસ્ત્રરૂપી નદીમાં સ્નાન કરીને આત્માને નિર્મળ કરવાનો છે. આત્મા નિર્મળ કરવા માટે આ શાસ્ત્રો છે. મત મતાંતરોની સ્થાપના કરવા આ શાસ્ત્રો નથી. આટલાં જોરશોરથી જ્ઞાની પુરુષો કહેતાં આવ્યાં છે. હર યુગમાં જ્ઞાની પુરુષો જન્મ્યાં છે, અને તેમણે મત મતાંતરોના ત્યાગ માટે વાત કરી છે, તો સામી બાજુમાં મતમતાંતરો મજબૂત કરનારા પણ જમ્યાં છે, અને તેમણે આ જ કામ કર્યું છે કે જેથી મતમતાંતર મજબૂત થાય. મતમતાંતરના વાડા તૂટે તેવું કામ એક વર્ગે કર્યું છે. જે કુળમાં જન્મ્યા હશો તે કુળની કોઈ ને કોઈ પરંપરા તમને પ્રાપ્ત થશે, તે કુળધર્મ વિશે સરસ વાત આનંદઘનજીએ કહી : બંભણકે ઘર નહાતી ધોતી, જોગી કે ઘર ચેલી, કલમા પઢ પઢ ભઈ રે તુરકડી આપ હી આપ અકેલી, અવધૂ ઐસો જ્ઞાન વિચારી. આ વૃત્તિ, આ બુદ્ધિ જ્યાં ગઈ ત્યાં જે મત હતો, જે માન્યતા હતી, જે પ્રતીતિ હતી, જે સંયોગો હતાં, તેમાં ઢળી ગઈ. બુદ્ધિ હંમેશા મતમાં ઢળી જાય છે, તે સમાં ઢળી નથી. બુદ્ધિ હંમેશા માન્યતામાં ઢળી છે, તે અન્વેષણમાં ઢળી નથી. બુદ્ધિ આગ્રહમાં ઢળી છે, નિરાગ્રહમાં ઢળી નથી. આનંદઘનજીએ કહ્યું છે કે બંભણકે ઘર નાતી ધોતી’–બ્રાહ્મણના ઘેર વૃત્તિ જાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy