SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૯ સતથી વિમુખ પણ કરી શકે. શાસ્ત્રો તટસ્થ અને મધ્યસ્થ છે. માટે આનંદધનજીએ કહ્યું કે, ‘સઉ રે સુનો ભાઈ, વલોણું વલોવે તો, તત્ત્વ અમૃત કોઈ પાઈ.’ સાંભળો ભાઈઓ, વલોણું વલોવો. વિચાર કરો, ચિંતન કરો, મનન કરો, બુદ્ધિને પ્રજ્ઞામાં રૂપાંતરિત કરો. તત્ત્વનું ઊંડાણથી જો ચિંતન કરો તો કદાચ માખણ તમારા હાથમાં આવે. શાસ્ત્રો માખણને પ્રાપ્ત કરવા માટે છે. છાશમાં અટવાવવાની જરૂર નથી. શબ્દો છાશ જેવા છે. એક બહુ મહત્ત્વની વાત પરમકૃપાળુ દેવે આ ગાથામાં કરી છે. હવે આ ગાથા સમજીએ. ‘અથવા’ આ શબ્દ વાપર્યો. અથવા એટલે કંઈક કહેવું છે તે પહેલાં મહત્ત્વની વાત કરી. આત્માદિ અસ્તિત્વના, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુયોગ નહિ ત્યાં આધાર સુપાત્ર. પછી એ ભાવ ઊઠ્યો આ ગાથામાં કંઈક ખૂટે છે. કંઈક ઓછપ છે. કંઈક ઉમે૨વા જેવું છે. અને ઉમેર્યું. શું ઉમેર્યું ? ‘અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ.’ ઠેર ઠેર વચનામૃતમાં પરમકૃપાળુદેવે સૂચનો આપ્યાં છે. તમે યોગવશિષ્ઠનું વાંચન કરજો. યોગવશિષ્ઠના બે પ્રકરણો, વૈરાગ્ય પ્રકરણ અને ઉપશમ પ્રકરણ, તેનું વાંચન કરજો. વિચાર સાગરનું વાંચન તમે કરજો. પરમાનંદી પંચવિંશતિનું તમે વાંચન કરજો. તમે યોગદૃષ્ટિ સમુચ્ચય ઉપરથી આઠ દૃષ્ટિની જે સજ્ઝાયો છે, તેનું વાંચન કરજો. શાંત સુધારસ અને અધ્યાત્મસારનું ભાવન કરજો. જ્ઞાની પુરુષે જેમના માટે કહ્યું, એમનું વ્યક્તિત્વ જાણીને કહ્યું છે. એમને એમ લાગ્યું કે આને વૈરાગ્યની જરૂર છે, આને ઉપશમની જરૂર છે. વૈરાગ્ય અને ઉપશમ દૃઢ થયા સિવાય આને જ્ઞાન પચશે નહિ. એમણે સમયસારની કે નિયમસારની વાત ન કરી. દ્રવ્યાનુયોગ કે પંચાસ્તિકાયની વાત ન કરી. એમણે એમ કહ્યું કે તમારો વૈરાગ્ય અને ઉપશમ તમે દૃઢ કરો. જેના વૈરાગ્ય-ઉપશમ દૃઢ થયા છે, તેઓ એમાં ને એમાં ન અટકે માટે તેઓને એમ કહ્યું કે તમારે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવો. પરમ ગંભીર શાસ્ત્ર સમયસાર આદિનો તમારે અભ્યાસ કરવો. કારણ તમારે એની જરૂર છે. પણ જેને જૈન દર્શનનો પરિચય નથી, સાંપ્રદાયિક પરિચય નથી, એને પણ માર્ગે વાળવો છે તેથી તેને એમ કહ્યું કે તમે યોગવશિષ્ઠનું વાંચન કરો. પરમકૃપાળુ દેવ જાતે નથી કહેતા કે હું જે કહું છું તે બરાબર છે. તેઓ પૂર્વના જ્ઞાની પુરુષોએ લખેલા શાસ્ત્રોને આગળ કરે છે. તેમણે મનસુખરામ શિવરામ દેસાઈ જેવા વિદ્વાનને ભલામણ કરી કે ‘તમે ષડ્ગર્શન સમુચ્ચય, જે હરિભદ્રસૂરિ મહારાજ રચિત છે તેનું વાંચન અને અધ્યયન કરજો, અવગાહન કરજો.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy