SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ નથી. સત્ય વાંકુ ચૂકું નથી. સત્ય ગુંચવાડાવાળું નથી. સત્ય સરળ છે, સુગમ છે. તમારી નજીકમાં નજીક તમારું શરીર છે, તેથી પણ વધારે તમારી નજીક સત છે. આવું નજીક સત હોવા છતાં મિથ્યા આગ્રહના કારણે સતની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રવાસનાના કારણે મતમાં, માન્યતાઓમાં અટવાયેલો રહેશે. ઘણી વખત જ્ઞાની પુરુષ પાસે ગયો પણ પોતાનો મત અને માન્યતા લઈને ગયો. હું આ પ્રમાણે માનું છું. તમારે શું કહેવું છે? એને તો પોતે જે માને છે તેના ઉપર જ્ઞાની પુરુષોનો સિક્કો લગાડવો છે. હું જે માનું છું તેના ઉપર તમે સહી કરી આપો. “તું કહે છે એ સત્ય છે', તેવું કહેનારા ગુરુ મળે ત્યારે એમ થાય કે મોક્ષ તો આપણા હાથમાં છે, પણ વાસ્તવમાં એમ નથી. શાસ્ત્રો જ્યારે જીવનમાં આવે છે ત્યારે સાધક સમજતો નથી કે પોતાના જીવનમાં કેવી સમસ્યા, કેવી ગૂંચવણ પેદા થાય છે. બરાબર સમજી લો. શાસ્ત્રનો દોષ નથી પણ તે જેના હાથમાં આવે છે તે વ્યક્તિના તેના પ્રત્યેના અભિગમ ઉપર આધાર છે. જગત શેમાં રોકાયું છે? મોટાભાગનું જગત ધનમાં, પુત્ર વાસનામાં, અને લોકવાસનામાં રોકાયું છે, પણ તેના કરતાં પણ મોટી શાસ્ત્રવાસના છે, તેમાં રોકાયું છે, અને તેથી જ આટલા દર્શનો, આટલી માન્યતાઓ, આટલા મતમતાંતરો છે. એક ભાઈ બાર વર્ષ કાશીમાં વ્યાકરણ ભણીને આવ્યા અને ખીચડી કરવા બેઠા. ખીચડી હાંડલીમાં તૈયાર થઈ. ખદબદ અવાજ આવવા લાગ્યો. તેણે જોયું કે મારા વ્યાકરણ શાસ્ત્રમાં ખદ બદ નામનો પ્રયોગ આવ્યો નથી. આ ખોટું બોલે છે, આ ઉચ્ચાર ખોટો કરે છે. કહ્યું કે ઉચ્ચાર શુદ્ધ કર. હું બાર વર્ષ કાશીમાં વ્યાકરણ ભણેલ છું, વૈયાકરણી છું. બરાબર ભણ્યો છું, ખદબદ શબ્દ વ્યાકરણમાં આવતો નથી. તું ખદબદ કેમ બોલે છે ? હાંડલી ક્યાંથી સમજે કે પંડિતને શું કહેવું છે? તેણે બીજી વખત તથા ત્રીજી વખત કહ્યું. પાછળ ધોકો પડ્યો હતો. તેણે હાંડલી ઉપર પછાડ્યો.હાંડલી તૂટી ગઈ અને ખીચડી પડી ચૂલામાં. આ પંડિતાઈની અને વિદ્વતાની મુશ્કેલી છે. શાસ્ત્રો તમારા હાથમાં આવશે ત્યારે તેના શબ્દોની મુલવણી તમે કેવી રીતે કરો છો? તમે તેનું અર્થઘટન કેવી રીતે કરો છો? તમે તેમાં સાર તત્ત્વ શું સમજ્યા? તમારો તેના પ્રત્યે કેવો અભિગમ છે? તમે એમાંથી શું શોધો છો? શું પરિશીલન, શું અનુશીલન, શું અવગાહન કરો છો? તેના ઉપર આધાર છે. - સદ્દગુરુ અને શાસ્ત્ર, બંને વચ્ચે ફરક છે. તમે મિથ્યા અર્થ કરશો તો સદ્ગુરુ બોલશે પણ અસગુરુ, કુગુરુ કે શાસ્ત્રો નહિ બોલે. સગુરુ હાથ પકડશે કે આ મિથ્યા છે. શાસ્ત્રો નહિ બોલે, માટે એમ કહ્યું કે શાસ્ત્રો સતના સમીપ પણ લઈ જઈ શકે અને શાસ્ત્રો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy