SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૭ પ્રગાઢ અનુભવ કર્યો છે, માટે આપણી પાસે પૂર્વના સંસ્કાર છે, અને જ્યારે જ્યારે બુદ્ધિ મળી ત્યારે ત્યારે શાસ્ત્રો વાંચ્યા હશે અને પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કર્યો હશે તેથી આપણે સ સુધી પહોંચી શક્યા નથી. ઊંડાણથી વિચારજો. દર્શનમોહ જે કામ કરે છે તેની આપણને ખબર નથી. તેનું ગૂઢ કામ છે. જેટલી બુદ્ધિ તીવ્ર, હાઈલી આઈ ક્યુ લેવલ, તેનાથી કાં તો શાસ્ત્રોની સ્પષ્ટતા કરશે, કાં તો પોતાના મનમાં ગૂંચવણો ઊભી કરશે. બુદ્ધિપૂર્વક જે મિથ્યા માન્યતા, વિચારો સ્વીકારવા, એમાંથી જે ઊભાં થાય એને કહેવાય છે મતમતાંતરો, એને કહેવાય છે સંપ્રદાય. ધર્મમાં સંપ્રદાયને અવકાશ નથી. ધર્મમાં મતને અવકાશ નથી, પણ અહીં બે પરિબળો કામ કરે છે. એક દર્શનમોહ અને બીજું પરિબળ છે તીવ્ર બુદ્ધિ. તમે એમ પૂછશો કે જો આ બુદ્ધિની સમસ્યા છે તો શું બુદ્ધિ કાઢી નાખીએ? બુદ્ધિ વગરના અને જડ બની જઈએ? શાસ્ત્રો કહે છે કે ના. એ બુદ્ધિને પ્રજ્ઞામાં રૂપાંતર કરવી છે, દુરાગ્રહમાં રૂપાંતર કરવી નથી, માન્યતાઓમાં રૂપાંતર કરવી નથી, મતાગ્રહમાં રૂપાંતર કરવી નથી. તત્ત્વ જેમ છે, સત્ય જેમ છે એમ સ્વીકાર કરવો તેને કહેવાય છે પ્રજ્ઞા. પ્રથમ ત્રણ વાસનાઓ વૈરાગ્યથી દૂર થશે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ.” આ તમે સાંભળશો અને સમજશો તો કદાચ વૈરાગ્ય ઉત્પન્ન થાય. કદાચ શબ્દ એટલા માટે વાપરું છું કે હજી સુધી થયો નથી, પણ કદાચ થાય. ઘર પ્રત્યે વૈરાગ્ય થાય, ધનની મૂછ ઓછી થઈ જાય, પુત્રવાસના અને લોકવાસના વૈરાગ્યથી દૂર થાય, પણ શાસ્ત્ર વાસના વૈરાગ્યથી દૂર થઈ શકતી નથી. શ્રીમદ્જીએ કહ્યું છે કે વૈરાગ્યથી ધનવાસના દૂર થશે, વૈરાગ્યથી લોકવાસના અને પુત્ર વાસના દૂર થશે, પણ વૈરાગ્યથી શાસ્ત્ર વાસના દૂર નહિ થાય. વૈરાગ્યની પરાકાષ્ટા નગ્નતા અર્થાતુ બધાં વસ્ત્રો પણ છોડ્યાં, દિગંબર થયાં, વૃક્ષ નીચે બેસી ધ્યાન કરે, ગરમીમાં તપે, ઠંડીમાં ઠરે, વરસાદમાં પલળે, વૃક્ષ નીચે ઊભા રહે, પશુઓ આવે છે, અવાજ કરે છે, ડંખ મારે છે. સહન કરે છે. આથી વધારે વૈરાગ્યની વિભાવના કરી શકાય નહિ. આવો વૈરાગ્ય હોવા છતાં તેને શાસ્ત્રના નામે મિથ્યા આગ્રહ હોઈ શકે છે. આ વાસના સતુ પાસે જતાં અટકાવે છે. સત બહુ દૂર નથી. સત સરળ છે. સત તો પ્રગટ છે. સત સમીપ-નજીક છે. પરમ નિધાન પ્રગટ મુખ આગળ; જગત ઉલ્લંઘી હો જાય, જિનેસર. ધર્મ જિનેસર ગાવું રંગશું. (આનંદધનજી મ.) ખજાનો આપણી પાસે છે. સત અપ્રગટ નથી. સત છૂપું નથી. સત્ય કઠિન કે ગહન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy