SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ ઉપર કાકિણી રત્નથી પોતાનું નામ લખે છે. વળી નવો ચક્રવર્તી આવીને જૂના ચક્રવર્તીનું નામ ભૂંસી નાખીને પોતાનું નામ ત્યાં લખે છે અને પછી આગળ જાય છે. કોઈકે જ્ઞાનીને પૂછ્યું કે આવાં કેટલાં ચક્રવર્તીઓના નામો ભૂંસાયા હશે? જ્ઞાની કહે છે કે અનંત ચક્રવર્તીઓનાં નામ ભૂંસાયા છે. આવું હોવા છતાં આપણને એમ જ છે કે હું કાયમ રહું, મારી પરંપરા કાયમ રહે, મારો વંશવેલો ચાલુ રહે. સંતતિ પ્રત્યેની વાસના આટલી પ્રબળ હોય છે. ત્રીજી છે લોકવાસના. આને શાસ્ત્રોમાં લોકેષણા કહે છે. તે સૌથી વધારે અવરોધ કરનારી છે. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે “લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે, તે પરમાર્થ માર્ગને કદી પામી શકતો નથી.' લોકસંજ્ઞા એટલે મને લોકો માને, મને પૂજે. એક જગ્યાએ કોઈક રાજકીય નેતાનું સન્માન થતું હતું. પચાસ હાર ચડાવવામાં આવ્યાં. કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી તેમણે સેક્રેટરીને પૂછ્યું, “પાંચ હાર ક્યાં ગુમ થઈ ગયા? મેં તો પંચાવન હારના પૈસા આપેલ છે. ચડાવવામાં તો પચાસ જ વપરાણા.” આ શું? પોતાના પૈસા, પોતાનું માથું, પોતાનો માણસ. આમાં શી મઝા આવતી હશે? આ લોકવાસના છે. એને મોટાઈ જોઈએ છે. કાં તો હું લોકોને રાજી રાખું, કાં તો લોકો મને રાજી રાખે, પણ સાહેબ! આ લોકો રાજી થયા નથી અને લોકો કદી પણ તમને રાજી રાખશે પણ નહિ. ભગવાન કૃષ્ણ અને ભગવાન રામજીને પૂછો, મહાવીર સ્વામીજીને પૂછો. લોકોએ એમને રાજી રાખ્યાં? લોકોથી તેઓ રાજી રહ્યાં? આ લોક સંજ્ઞા બહુ જ પ્રબળ છે. આ પ્રબળ સંજ્ઞા માત્ર સંસારી જીવોને જ પજવે છે એવું નથી, પણ સાધુઓને પણ પજવે છે. જ્ઞાનીઓ તથા વિદ્વાનોને પણ પજવે છે. વક્તાઓ અને કથાકારને પણ પજવે છે. ગાદીના મહંતોને પણ પજવે છે. બીજું કાંઈ નહિ, લોકો મને જાણે. તારે કરવું છે શું, જણાવીને? તું તને જાણ ને. લોકસંજ્ઞા જેની જીંદગીનો ધ્રુવકાંટો છે તે પરમાર્થ માર્ગને કદી પામી શકતો નથી.” શૂન્ય થઈ જઈએ, એકદમ શૂન્ય થઈ જઈએ, અને એવી શૂન્યતા જ્યારે જીવનમાં આવે છે ત્યારે પરિપૂર્ણ થઈ જવાય છે. શૂન્ય થઈએ તો પૂર્ણ સાથે આપણો મેળાપ થાય. પૂર્ણ જગતમાં હાજર છે. અહંકાર અને લોકવાસનાથી શૂન્ય થવાય ત્યારે પૂર્ણ સાથે મેળાપ થાય. અને ચોથી પ્રબળ વાસના છે શાસ્ત્ર વાસના. આ વાતને જરા જાગૃતિપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. નહિ તો ગેરસમજણ જરૂર થશે. મુમુક્ષુ અવસ્થામાં સાધનામાં ઉપયોગી થાય તે માટે શાસ્ત્રો વાંચવા, જાણવા અને અવગાહન કરવાં એ જુદી વાત છે, પણ શાસ્ત્રમાં કહેલ શબ્દોનો પોતાની બુદ્ધિ પ્રમાણે અર્થ કરીને, તેમાં અટવાઈ જવું તથા શાસ્ત્રોના અર્થો બદલવાં તે દર્શનમોહનું કામ છે. અનેક જન્મોમાં ફરતાં ફરતાં અનેક વૃત્તિઓનો આપણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy