SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૫ લાયકાત પ્રત્યેક ક્ષેત્રમાં અત્યંત મહત્ત્વની છે. વસ્તુનો ઉપયોગ કરવાની કળા પાત્રતા, યોગ્યતા, લાયકાત વિના પ્રાપ્ત થતી નથી. એ પાત્રતા જો ન હોય તો શાસ્ત્રોથી હિત, મંગલ કે કલ્યાણ થવાના બદલે બીજી મુશ્કેલીઓ ઊભી થાય છે. સાધનામાં મુખ્ય અવરોધો ચાર છે. ઉપનિષદમાં તે માટે વાસના શબ્દ વાપર્યો છે. જે વૃત્તિ, જે વિચાર, જે વિકલ્પ, જે ક્રિયા વારંવાર કરવાના કારણે અંદરમાં દઢ થઈ જાય તેને કહેવાય છે-વાસના. વિચાર કે વૃત્તિ બદલાવવી સહેલી, ક્રિયા બદલાવવી સહેલી પણ તે વાસનાનું સ્વરૂપ જો ધારણ કરે તો બદલવું કઠિન થઈ પડે છે. પહેલી છે ધનની વાસના. ધન વ્યાપક શબ્દ છે. ધન એટલે ઈન્દ્રિયોનાં સુખો માટે જોઈતી સામગ્રી મેળવવા માટેનું સાધન. ઈન્દ્રિયો છે અને ઈન્દ્રિયોના વિષયો છે, અને વિષયો ભોગવવા માટે તેની સામગ્રી જોઈએ. સામગ્રી ક્યાંથી લાવશો? સામગ્રી મેળવવા માટે વિનિમયનું જે સાધન તેનું નામ ધન. જ્યાં જ્યાં ઈન્દ્રિયો છે અને જ્યાં જ્યાં ઈન્દ્રિયોને વિષયો ભોગવવાની વૃત્તિ છે, ત્યાં ત્યાં ધનવાસના છે. ધનવાસના માત્ર મનુષ્યમાં જ છે તેમ નથી. પશુઓ અને દેવોની અંદર પણ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “તિર્યંચ તરુના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે, વૃક્ષની નીચે કોઈએ ખજાનો દાટ્યો હોય તો વૃક્ષ વિકાસ પામતું પામતું જ્યાં ખજાનો દાટ્યો છે તેના ઉપર પોતાના મૂળિયા ફેલાવી દે છે. એને બજારમાં ખરીદી કરવા જવું નથી કે ઝવેરી બજારમાં હીરા માણેક લેવા જવું નથી, પણ એ વૃક્ષ પોતાના મૂળિયા ફેલાવી એ ધનને ઢાંકી દે છે. એ વાત નિશ્ચિત છે કે વૃક્ષના કામમાં ધન આવવાનું નથી, તે ધન વાપરી શકવાનું નથી, તો પછી આમ કેમ થાય છે? એને કહેવાય છે ધનની વાસના. માર્ગમાં સૌથી પ્રબળ અવરોધ આવતો હોય તો આ સંગ્રહ કરવાની વાસના છે, તે આપણને અટકાવે છે, રોકે છે. આપણા માર્ગમાં અંતરાય ઊભો કરે છે. એટલા જ માટે એમ કહ્યું કે જ્યાં સુધી ઈન્દ્રિયોના ભોગોની વાસના અંદરમાં મજબૂત હશે ત્યાં સુધી ધન પાછળની દોડ તીવ્રપણે રહેશે જ. તમે ધનની પાછળ દોડો છો કે તમને તમારી વાસના દોડાવે છે? તમે સજ્જન માણસ છો, પણ આ વાસના દોડાવે છે. પ્રબળ છે આ ધનની વાસના. બીજી સંતતિની વાસના છે. આપણો અહંકાર વ્યાપક રૂપમાં કામ કરે છે. અહંકાર આપણા મન, બુદ્ધિ અને ભાવની ઉપર પ્રેસર કરતો હોય છે. તું તો જભ્યો, પણ તારો વારસો જગતમાં અખંડ રહેવો જોઈએ, ઐતિહાસિક પાત્ર બની જવું જોઈએ. શાસ્ત્રમાં એક મઝાની વાત કરી છે કે ચક્રવર્તી છ ખંડ સાધે છે. ત્યારે ઋષભકૂટ પર્વતના પૂર્વભાગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy