SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ સદ્ગુરુ પણ મુમુક્ષુને-સાધકને શોધે છે. તેઓને જે કંઈ આપવું છે, જે કંઈ રેડવું છે, જે અમૃત વહેવડાવવું છે, જે વાવેતર કરવું છે, તે મુમુક્ષુના હૃદયમાં કરવું છે. સદ્ગુરુની કરુણા અને મુમુક્ષની યોગ્યતા મળીને ગુરુ શિષ્યની સંધિ થાય છે. એટલા માટે આનંદઘનજીએ કહ્યું કે “ઉભય મિલ્યા હોય સંધિ', સદ્ગુરુમાં કરુણા હોય અને મુમુક્ષુમાં પ્રગાઢ વૈરાગ્ય, તીવ્ર તાલાવેલી અને તમન્ના હોય ત્યારે સંધિ થાય. - સદ્ગુરુ પ્રાપ્ત નથી થયા, નથી મળ્યાં ત્યાં સુધી મુશ્કેલી છે. એમના દર્શન આપણને થયા નથી, ત્યાં સુધી સાધકે શું કરવું? કોઈ ઉપાય ખરો? કોઈ આલંબન ખરું? કોઈ ટેકો ખરો? કોઈના શરણે જવા જેવું ખરું? એ દરમ્યાન વચગાળામાં સાધક કરે શું? તે વખતે સદ્ગુરુ કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. એક બીજો દરવાજો ખૂલે છે, અને તે એ છે કે, આત્માદિ અસ્તિત્વનાં, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. જ્ઞાની પુરુષ વાત કરે છે ત્યારે ક્રમબદ્ધ અને સર્વાગીણ વાત કરે છે. જેમાં આત્માનાં અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું હોય તે શાસ્ત્રો લેવા. આ એટલા માટે સ્પષ્ટતા કરી કે શાસ્ત્ર શબ્દથી ઘણાં શાસ્ત્રો આવે તેથી શાસ્ત્ર શબ્દ પૂરતો નથી, તેથી પહેલાં પદમાં તેનું વિશેષણ મૂકી સ્પષ્ટતા કરી. પહેલી વાત તો એ છે કે સમગ્ર સાધનાની આધારશીલા આત્મા છે, અને આત્માનું હોવાપણું બુદ્ધિમાં, સમજણમાં, બોધમાં નક્કી ન થાય ત્યાં સુધીમાં સાધક કરશે શું? મોટા ભાગની સાધના આત્માના હોવાપણાનો નિર્ણય કર્યા વગર થાય છે. સાધના કરે છે તે ખોટું નથી, પણ આત્માનો નિર્ણય જોઈએ. જેમ આપણે સ્ટેશન માસ્તર પાસે જઈએ અને તેઓ પૂછે કે કઈ ટિકિટ આપું? આપણે એમ તો ન કહીએ ને, કે ગમે તે આપો. આપણે નિર્ણય લેવો પડે કે મારે આ શહેરની ટિકિટ જોઈએ છે, તેમ સાધકનો પણ નિર્ણય જોઈશે. પહેલો નિર્ણય આત્માનું હોવાપણું છે. પર્ષદમાં પ્રથમ પદ “આત્મા છે.” આ સતુ ઉપર એટલે અસ્તિત્વ પર ભાર મૂક્યો, હોવાપણા ઉપર ભાર મૂક્યો. જેમ હોવાપણું છે, તેમ પરલોક આદિ પણ છે, તેવો ઉપદેશ જેમાં કરવામાં આવ્યો છે, તેનું નામ શાસ્ત્ર છે. આ શાસ્ત્રની પરિભાષા સમજી લેવી જરૂરી છે. આ પરિભાષાથી ઘણાં શાસ્ત્રો બાકાત થઈ ગયા, દૂર થઈ ગયા. આત્માનું હોવાપણું, પરલોક આદિનું પણ હોવાપણું જેમાં છે તે શાસ્ત્ર. પણ એક વાત અત્યંત મહત્ત્વની છે કે એવાં શાસ્ત્રો પ્રત્યક્ષ સરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધાર છે. આ સુપાત્ર શબ્દ કેમ વાપરવો પડ્યો ? યોગ્યતા અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy