SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રવચન ક્રમાંક - ૧૬ ગાથા ક્રમાંક ૧૪ શાસ્ત્રો કઈ રીતે વિચારવા ? અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ, તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. (૧૪) Jain Education International ટીકા ઃ અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (૧૪) ૧૭૩ તેરમી ગાથાથી એક મહત્ત્વની વાત કરી છે. સાધક, સાધક તરીકે જીવવાનો જ્યારે પ્રારંભ કરે છે, ત્યારે તેના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. સંસારી જીવને ઘણી સમસ્યાઓ છે, તેમ સાધકને પણ સમસ્યાઓ છે, પણ સાધકની સમસ્યાઓ રચનાત્મક છે, તેનો હેતુ છે, તેના મનમાં ઝંખના છે, તેને કંઈક પ્રાપ્ત કરવું છે, તેના મનમાં તાલાવેલી છે, તેને નિશ્ચિત કોઈ સ્થાને પહોંચવું છે, તેને કંઈક અનુભૂતિ કરવી છે, અનુભવ કરવો છે. તે અનુભૂતિ કરવામાં સાધક પરિબળો અને અવરોધક પરિબળો જાણવા પડે, અવરોધ એટલે અંતરાય કરનારા પરિબળો. સહાય કરનારા પરિબળો પણ છે અને અંતરાય કરનારાં પરિબળો પણ છે, તે બંનેને સાધકે સમજી લેવા જોઈએ. તેરમી ગાથામાં એક મોટું આશ્વાસન આપણને આપ્યું કે સદ્ગુરુ પ્રાપ્ત થશે જ થશે, કોઈ શંકા નહિ. સાધકે મુમુક્ષુતા પ્રગટાવવાની છે, સદ્ગુરુ શોધવા જવાની જરૂર નથી. મુમુક્ષુતા, તાલાવેલી, જિજ્ઞાસા, અભિપ્સા, ઝંખના હશે તો સદ્ગુરુ આવીને આપણા દ્વાર ખખડાવશે. વ્યવહારમાં અલંકારિક ભાષામાં એમ કહેવાય કે જેમ મુમુક્ષુ સદ્ગુરુની શોધમાં છે. તેમ સદ્ગુરુ પણ મુમુક્ષુની શોધમાં છે. જેમ ખેડૂત સારું ખેતર શોધે છે, કારણ કે તેને વાવેતર કરવું છે, જેમ વેપા૨ી સારો ભાગીદાર શોધે છે કારણ કે ધંધો કરવો છે. તેમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy