SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૭૧ અમે આત્માને ક્યાંથી જાણત? કર્મને ક્યાંથી જાણત? કર્મના સંયોગોને, દ્રવ્યોને અને મોક્ષને ક્યાંથી જાણત? જે કંઈ જાણ્યું તે સદ્ગુરુ અને સશાસ્ત્રોથી જાણી શક્યાં છીએ. તમારા કહેલાં સશાસ્ત્રો કેટલાં બધાં ઉપકારી છે? આવો ભાવ આવે અને શાસ્ત્રો વાંચો ત્યારે અંદરથી આનંદ આવશે. દેવચંદ્રજી મહારાજે ગાયું કે : જે પરિણામિક ધર્મ તમારો, તેહવો અમચો ધર્મ. અરે પ્રભુ! જેવો તમારો ધર્મ તેવો અમારો ધર્મ, પરમ પારિણામિક ભાવે અમારામાં છે, પણ શ્રદ્ધા નથી, એના કારણે વિભાવ વળગ્યો છે, માટે તમારું અને અમારું છેટું પડ્યું છે, પણ હવે છેટા નથી રહેવું, મારા માલિક ! હું તમારા વગર નહિ જીવી શકું. “ધાર તરવારની સોહિલી દોહિલી.” આ રણકાર આનંદધનજીનો છે. અને યશોવિજયજી મહારાજે કહ્યું, “પ્રભુ ! તમે તમારા હાથે મારા કપાળમાં તિલક કર્યું છે, તેથી મને મોક્ષ મળશે, પછી મને ચિંતા શેની?' આ મસ્તી ! આ ખુમારી ! આ યશોવિજયજી, આ આનંદધનજી, આ કબીર, આ મીરાં, આ તુલસી ન હોત, નરસિંહ કે નારદજી ન હોત, રામાયણ ન હોત તો ભારતનું થાત શું? આ સંસ્કૃતિના સૂત્રધાર સતશાસ્ત્રો જીવનમાં પરમ આધારરૂપ છે. ક્યારે? સદ્ગુરુનો યોગ ન હોય ત્યારે. આત્માદિ અસ્તિત્વના, જેહનિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. બિલકુલ સ્પષ્ટ કહ્યું છે. ક્યાંય ભૂલ ન થાય. પ્રત્યક્ષ સગુરુ જ ન હોય ત્યાં આધાર પણ કોને? કોમન વ્યક્તિને નહિ, સુપાત્ર હોય તેને. આજે પણ હજારો શાસ્ત્રો ધરતી ઉપર હાજર છે. કોઈપણ એક શાસ્ત્ર લો, તે તમને બચાવી દેશે. બે ભાઈઓ વચ્ચે મિલ્કતનો ઝઘડો ચાલ્યો. આ મિલ્કત મારી છે. ઓલો કહે મારી છે, મને મળવી જોઈએ. એક દિવસ બપોરે રામાયણની કથા ચાલતી હતી અને આ બંને ભાઈઓ ત્યાં ગયા. દશરથ મહારાજે રામને રાજ્ય આપ્યું. કૈકેયીએ ભરત માટે માંગણી કરી હતી. દશરથ રાજાએ રામજીને પૂછ્યું કે આ રાજ્ય ભરત માટે માંગે છે. તો હું આપું?” રામજીએ કહ્યું કે “તમે મને પૂછો છો એ મારે માટે શરમાવા જેવું છે. રાજ્ય તમારું છે. તમે ઇચ્છો તેને આપી શકો છો. તમારા સેવકને પણ આપી શકો છો અને મને ચામર વીંઝવાનું કહો તો હું તેને માટે ચામર વીંઝવા પણ તૈયાર છું. પિતાજી! મને આપ શા માટે પૂછો છો?' એ વખતે રાજ્ય તો આપ્યું પણ કૈકેયીને ફક્ત એટલું જ મંજૂર નથવાથી રામ વનવાસે ગયા. આ બંને ભાઈઓને થયું કે “આખું રાજ્ય છોડીને રામ વનવાસ ગયા છે, અને આપણે બંને ભાઈઓ સંપત્તિ માટે લડી રહ્યા છીએ ! ચાલો, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy