SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ સુલતાને સમાતો નથી. સદ્દગુરુનો યોગ મળવો દુર્લભ છે. કદાચ મળ્યો હોય તો પણ નિરંતર રહેવો દુર્લભ છે. દાદુનો શિષ્ય રઝબ ૨૦ વર્ષનો, બહુ રૂપાળો, બહુ દેખાવડો, પેશાવરમાં જન્મેલો, તેના પિતા મોટા જાગીરદાર હતા. તેના લગ્ન હતા ત્યારે હજારો માણસો ભેગા થયા છે. રજબ ઘોડા ઉપર બેઠો હતો. લગ્નના ઠાઠની વાત શી કરવી? અને દાદુ હજારો માણસો વચ્ચે ત્યાં પહોંચ્યા અને કહ્યું, રઝબ તૂને ગઝબ કીયા, શિરપે બાંધા મોર, આયા થા હરિ ભજન કો ચલા નરકકી ઠોર! એ જ ક્ષણે રઝબ ઘોડા ઉપરથી નીચે ઊતર્યો. દાદુએ કહ્યું ચલો. હજારો માણસોની બરાત વચ્ચે રઝબ દાદુની સાથે ચાલ્યો. રઝબ દાદુનો બની ગયો. દાદુનું મૃત્યુ થાય છે ત્યારે રઝબે આંખો બંદ કરી દીધી. શિષ્યોએ કહ્યું, “આંખો તો ઉઘાડો.” “હવે આંખ ઉઘાડીને શું કરું? જેને જોવા માટે આંખો હતી તે તો ચાલ્યા ગયા. હવે જોવા જેવું જગતમાં રહ્યું પણ શું છે? આ ધરતી ઉપર મારે જોવા જેવાં તો મારા સદ્દગુરુ હતાં, તે તો ગયા. હવે બીજું કંઈ નથી જોવું.' તેણે આંખ ન ઉઘાડી. આવો સદ્ગુરુનો યોગ, આવી ભક્તિ, આવી ઉત્કંઠા પ્રગટેલ ન હોય ત્યારે સશાસ્ત્રો સુષ્ટિવંતને પરમ મિત્ર તુલ્ય છે. શાસ્ત્ર જેવું જગતમાં બીજું કોઈ મિત્ર નથી. હે કુંદકુંદાદિ આચાર્યો, આ ધરતી ઉપર તમે ન હોત તો, સમયસાર ન હોત, નિયમસાર ન હોત, પંચાસ્તિકાય અને પ્રવચનસાર ન હોત, તો અમારી વૃત્તિ સ્વરૂપમાં કેવી રીતે વળત? તમારો મોટો ઉપકાર છે. પરમકૃપાળુ દેવ માથુ ઝૂકાવે છે, “હે કુંદકુંદાચાર્ય, તમારા વચનો વૃત્તિના અનુસંધાનમાં પરમ ઉપકારી થયાં છે.” હે સુધર્મસ્વામી, હે હરિભદ્રસૂરિ મહારાજ, હે યશોવિજયજી મહારાજ, હે દેવચંદ્રજી મહારાજ, તમે ન હોત તો, આ શાસ્ત્રો ન હોત તો અમારું શું થાત ? આ તત્ત્વો અમે ક્યાંથી જાણત? સ્વરૂપ સ્થિરતા થવામાં મોટે ભાગે શાસ્ત્રો પરમ ઉપકારી બને છે. સ્વરૂપમાં સ્થિરતા કરી, પણ ત્યાં સ્થિરતા લાંબો ટાઈમ ટકવી જોઈએ ને? તે માટે પણ શાસ્ત્રો ઉપકારી છે. તમે આજે જે કંઈ બોલો છો કે આત્મા છે. આત્મા નિત્ય છે, કર્તા છે, અજર અમર છે. તે આ શાસ્ત્રો વાંચીને બોલો છો. હે પરમકૃપાળુ દેવ ! તમે “આત્મસિદ્ધિ આપી ન હોત તો અમે ક્યાં જાત? “અપૂર્વ અવસર' ન આપ્યું હોત તો મસ્ત થવા માટે શું ગાત? હવે ગાઈ શકીએ છીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy