SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૯ શું અનુભવ છે?” આઈનસ્ટાઈન કોઈ સંતપુરુષના ચરણોમાં બેઠા નથી કે મળ્યા પણ નથી, અને શાસ્ત્રો પણ વાંચ્યા નથી, એવા આઈનસ્ટાઈને પોતાનો અનુભવ જણાવતાં નમ્રતાપૂર્વક કહ્યું કે “મેં જે કંઈપણ જામ્યું છે, તેનાથી અનંતગણું જાણવાનું હજુ બાકી રહી ગયું છે. હું તો દરિયા કિનારે છીપલાં વીણી રહ્યો છું. હું તો કંઈપણ જાણતો નથી.' આ આઈનસ્ટાઈન કહી શકે આપણે ન કહી શકીએ. આપણે તો ગર્વમાં આવીને કહીએ કે મને તો બધું જ મોઢે છે. હું બધું જ જાણું છું. જ્ઞાની પુરુષો કહે છે કે તમારી બુદ્ધિ તમને મુબારક. ગણધરો અને તીર્થકર દેવો પાસે આપણી બુદ્ધિ શું હિસાબમાં? એટલા માટે તો કબીરજીએ કહ્યું કે : ઘરતી કા કાગજ કરું, સમુદ્રકી કરું શાહી, મેરૂકી લેખણ કરું, પ્રભુ ગુણ લખ્યા ન જાય. આ ધરતીને કાગળ કરી, સમુદ્રના પાણીની શાહી બનાવી અને મેરૂ પર્વત જેવડી બોલપેન કરું તો પણ પ્રભુ, આપના ગુણ લખી શકાય નહિ; એવા પરમાત્મા, તેમનું જ્ઞાન પણ અનંત અને આપણે થોડું વાંચ્યું, થોડું જાણ્યું ત્યાં જ્ઞાન જીરવાતું નથી. જ્ઞાન જીરવવું અતિ મુશ્કેલ છે. જે શબ્દને જાણે છે, અર્થને જાણે છે, જેનામાં વિશાળતા છે, જેનામાં નિરાગ્રહતા છે, જે પક્ષપાત રહિત છે, જેની બુદ્ધિ મધ્યસ્થ છે, જેને વૈરાગ્ય ઉત્પન્ન થયેલ છે, જેને ભવની ભીતિ લાગી છે, જેને પાપનો ભય લાગે છે એવો પુરુષ શાસ્ત્ર વાંચનનો અધિકારી કહેવાય. આવા જીવોને પુરુષનો યોગ ન મળે ત્યાં સુધી સન્શાસ્ત્રો આધારભૂત છે. કોઈ પૂર્વના આરાધકને સ્વરૂપ પ્રાપ્તિમાં પણ સન્શાસ્ત્રો કારણભૂત થઈ શકે છે. પૂર્વના આરાધક જીવ મીરાએ બહુ સ્પષ્ટ કહ્યું છે. પ્રીતિ પૂર્વ જન્મની, ભક્તિ આ ભવની, તેને મળે ભગવાન. મીરાં પ્રેમની મૂડી લઈને આવી છે. સુલસા પ્રેમની મૂડી લઈને આવી છે. ભગવાન મહાવીરે સુલસાને ધર્મલાભ કહેવડાવ્યા ત્યારે સુલસા ઝીલી શકતી નથી. કંચૂકી ફાટી ગઈ. રોમાંચ ખડા થઈ ગયા. બંગડીઓ તૂટી ગઈ. ચૌદ રાજલોકના ધણી કે જેમના ચરણોમાં અસંખ્ય દેવો મસ્તક નમાવે છે, તેમણે મારા જેવી શ્રેણિક રાજાના સારથિની પત્નીને યાદ કરી? રાજા રાણીને નહિ, શેઠ શ્રીમંતને નહિ, સુલતાને કીધાં ધર્મલાભ. શ્રેણિક રાજાને નહિ, ચેલણા રાણીને નહિ, શેઠ શાલીભદ્રને નહિ, આ સુલતાને ધર્મલાભ કીધાં! ધન્ય થઈ ગયું મારું જીવન, અને સુલસા ગદ્ગદ્ થઈ ગઈ. અનંત જ્ઞાની એવા પરમાત્માના હૃદયમાં મને જગ્યા મળી. કોઈનાં પણ હૃદયમાં જગ્યા મળે તો આપણે ખુશ ખુશ થઈ જઈએ છીએ. આ ચૌદ ભુવનના ધણીના હૃદયમાં જગ્યા મળી, તેનો આનંદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy