SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ સરસ ઈગ્લીશ બોલે છે. મને તો એ ગાંડો લાગતો નથી. સંચાલકે કહ્યું, “સાહેબ ! ગાંડો છે તેથી રાખ્યો છે, અને જો પરીક્ષા કરવી હોય તો નાસવાની તૈયારી રાખજો, નહીં તો હડફેટે ચડી જશો, તમે આ યુવાનને કહો કે હું જવાહરલાલ નહેરૂ છું, તેઓએ તેમ કહ્યું, અને તે સાંભળતાની સાથે જ પેલા યુવાનનો પિત્તો ગયો. તમે ખોટા છો. હું જવાહરલાલ નહેરૂ છું. આ યુવાન પોતાને જવાહરલાલ નહેરૂ માનવાના ચિત્ત ભ્રમથી ગાંડો થઈ ગયો હતો. એ ગાંડો ડાહ્યો થયો કે નહિ તે આપણને ખબર નથી, પણ આપણે ગાંડા ડાહ્યા થઈ જઈએ તો આનંદની વાત થશે. ટીકામાં કહ્યું કે, “જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના ! હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે, તે સુપાત્ર જીવને આધારરૂપ છે. શાસ્ત્રો માટે એક બંધારણ અને વ્યવસ્થા આપી કે કોને કહેવાય શાસ્ત્રો? કયો ગ્રહ નડે છે, તે શાસ્ત્રમાં ન હોય. આપણે જ આપણને નડીએ છીએ, ગ્રહ નડતો નથી. જેમાં આત્માના હોવાપણાનો એટલે કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, આત્મા કર્મથી બદ્ધ છે, કર્મ અનંતકાળથી છે, અનંતકાળના કર્મથી મુક્ત થઈ શકાય છે, વીતરાગ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે વગેરેનું વર્ણન છે; બહિરાત્મદશા, અંતરાત્મદશા અને પરમાત્મદશા વિગેરેનું વર્ણન જેમાં આવે ને પરલોક આદિનું વર્ણન જેમાં આવે-એવો ઉપદેશ જે કરે તેને શાસ્ત્રો કહ્યાં છે. આવા શાસ્ત્રો પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે, અને જો સદ્ગુરુ હાજર હોય અને તેમના ચરણોમાં નિવાસ કરતાં હો તો શાસ્ત્રો ગૌણ કરવા. પ્રત્યક્ષ સગુરુ એ જ શાસ્ત્ર, તેમનું વચન એ જ શાસ્ત્ર, પણ પ્રત્યક્ષ સદગુરુનો જોગ ન હોય તો શાસ્ત્રો સુપાત્ર જીવોને આધારરૂપ છે, ટીકામાં એક બહુ મોટી સ્પષ્ટતા કરી છે કે શાસ્ત્રો આધારરૂપ છે. અત્યંત કલ્યાણકારી અને મંગલમય છે પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી શકાય નહિ. આ વાત તર્ક કરવાવાળા માટે, કલ્પના કરવાવાળા માટે કે નકાર કરવાવાળાના માટે કરી નથી. પ્રત્યક્ષ સગુરુ હાજર ન હોય તો શું કરવું? આત્મા આદિ તત્ત્વો વિષે જેમાં વિવેચન કર્યું છે તેવા શાસ્ત્રો વાંચવા, પણ ત્યાં કહ્યું કે સુપાત્ર હોવો જોઈએ. સુપાત્રતા એટલે ‘વિદ્યા રાતિ વિન, વિનયવિયાતિ પાત્રતામ.’ જેનામાં વિનય છે, નમ્રતા છે, પોતાની માન્યતા, આગ્રહ, કદાગ્રહ પોતાનો દુરાગ્રહ, પૂર્વગ્રહ, હઠાગ્રહ આ બધા ગ્રહો જેના હઠી ગયા છે, જે અત્યંત નમ્ર છે, હું કંઈપણ જાણતો નથી એવી જેની સ્વીકૃતિ છે, તેને કહેવાય સુપાત્ર. આઈનસ્ટાઈનને કોઈએ પૂછ્યું, “સાહેબ! આપ જગતના શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છો અને આ અબજો માણસોમાં આપના જેવો શ્રેષ્ઠ માનવી કોઈ નથી. તમે ઘણાં તત્ત્વો શોધી કાઢ્યાં છે, તમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy