SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ સાકરના દાણાને પકડે છે તેમ તમે આત્માને પકડો ને? શરીરને શું કામ પકડો છો? ધનને, સંપત્તિને, કુટુંબને, યશ-કીર્તિને શું કામ પકડો છો? માયાને કેમ પકડો છો ? કીડી કહે છે ભલે રેતીના કણ પાસે પડ્યા પણ અમે તેમાંથી સાકર પકડી લઈશું. તેમ તમે કેમ કહેતાં નથી કે ભલે ને સંસાર રહ્યો પણ અમે પરમાત્માને ગોતી લઈશું. આ ધરતી ઉપરની એક અનિવાર્ય ઘટના છે કે કોઈ પણ મુમુક્ષુ એવો નથી કે જેને સદ્ગુરુ મળ્યા નહિ હોય. આજે નહિ તો કાલે, તેને સદ્ગુરુ અવશ્ય મળે છે. વિશ્વનો આ અફર નિયમ છે. વિશ્વનું આ બંધારણ છે કે મુમુક્ષુતા પ્રગટ થાય તો સદ્ગુરુ મળે જ. ચિંતા ન કરશો, ક્યારે મળશે? કોને માનવા? ક્યા કપડામાં જોવાં? કોને સ્વીકારવા? શા માટે મુંઝાવ છો? શોધવાની જરૂર જ નથી. ખોળવાની કે ફૂટપટ્ટી લઈને માપવા જવાની જરૂર નથી. મહાપુરુષો કહે છે કે કમળ ખીલશે તો ભમરાઓ આવશે જ. આકાશમાં ચંદ્રમા ખીલે તો દરિયો ઊછળશે અને મેઘની ગર્જના થશે તો મોરલો ટહુકાર કરશે જ. અવિનાભાવી સંબંધ છે કે મુમુક્ષુતા પ્રગટ થઈ કે સદ્ગુરુ મળે જ મળે, પણ જ્યાં સુધી નથી મળ્યા ત્યાં સુધી પરમકૃપાળુ દેવ જુદા જુદા ઉપાયો આપે છે. જુદા જુદા માર્ગ કરી આપે છે. એક દરવાજો બંધ થાય તો બીજો દરવાજો ખોલી આપે છે. પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ થયો નથી, એ દરવાજો નથી ખૂલ્યો, ત્યાં સુધીમાં બીજો દરવાજો ઉઘાડીને પરમકૃપાળુ દેવ કહે છે, “સદ્ગુરુનો યોગ થયો નથી ત્યાં સુધીમાં એક મોટો આધાર સશાસ્ત્રોનો આપીએ છીએ. આ શાસ્ત્રનો આધાર સુપાત્ર જીવ-સપાત્રતા જેનામાં છે તે જીવ લઈ શકશે. કુપાત્ર લઈ શકશે નહિ.” શાસ્ત્રો એ કલ્પિત કલ્પનાઓ નથી. આપ્તપુરુષોના વચનોનો સંગ્રહ જેમાં થયો હોય એને કહેવાય છે. શાસ્ત્ર. આપ્તપુરુષ પ્રાપ્ત થવા જોઈએ, પણ તે પ્રાપ્ત થયા નથી. આપ્ત એટલે રાગદ્વેષ રહિત, મોહ રહિત અને અજ્ઞાન રહિત. આ જગતમાં જે કંઈ પ્રશ્નો છે તે આ ચાર રાગાદિમાંથી જ ઊભાં થાય છે. રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન, એ ચારેથી જેમની ચેતના સદા માટે રહિત થઈ ગઈ છે, એવી જીવંત ચેતના એને કહેવાય છે આપ્ત. જે વખતે આત્મા રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનથી મુક્ત થાય ત્યારે તેને વીતરાગતા પ્રાપ્ત થાય છે. તે વખતે જ્ઞાન પોતાની બધી જ મર્યાદાઓ તોડીને અમર્યાદિત બને છે, અફાટ બની જાય છે. જેમ દરિયાને મર્યાદા નથી, તેમ જ્ઞાનને મર્યાદા રહેતી નથી. જ્ઞાનને મર્યાદા લાવનાર ચાર પરિબળો રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન હતાં, તે ચારેચાર દૂર થયાં તેથી જ્ઞાન અફાટ થયું અને એવું જે અફાટ જ્ઞાન, વિરાટ જ્ઞાન અને પરિપૂર્ણ જ્ઞાન તેને શાસ્ત્રીય ભાષામાં કેવળજ્ઞાન કહે છે. એ સર્વજ્ઞ અવસ્થા છે. એવી જે સર્વજ્ઞ અવસ્થામાં દેખાય, અનુભવાય, સ્પર્શ થાય, જે ટચ થાય, જે સાક્ષાત્કાર થાય ને તેમના મુખમાંથી એના સંબંધી જે કંઈપણ શબ્દ નીકળે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy