SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૬૩ શુદ્ધિ થઈ છે, ચિત્તશુદ્ધિ ને મનશુદ્ધિ થઈ છે, કષાયો અને રાગદ્વેષ મોળાં પડ્યાં છે, મંદ થયા છે, ગયા નથી, દર્શનમોહ મોળો પડ્યો છે, મંદ થયો છે, ગયો નથી, તેના માટે આ વાત છે. આ મંદ થાય ત્યારે તેને સાધના માટે અવકાશ મળે છે, એક તક મળે છે, એક ભૂમિકા તૈયાર થાય છે. જમીન ખેડતાં ખેડતાં જ્યારે બળદ થાકે છે અને ખેડૂત પોતે પણ થાકે છે ત્યારે પાંચ મિનિટ વિસામો કરે છે. એ વિસામા પછી તાજગી અનુભવે, તેમ સાધકને પણ એવી તાજગીની જરૂર છે, અને તાજગી હોય તો સંવાદ થાય, કારણ કે તેને મોક્ષ અવસ્થા, અનિર્વચનીય અવસ્થા, દિવ્ય અવસ્થા, અલૌકિક અવસ્થા પ્રાપ્ત કરવી છે. અનંતકાળની આ બધી મુશ્કેલીઓ કાયમ માટે દૂર થઈ જાય, એવી અવસ્થામાં એને જવાનું છે. તેની પૂર્વ તૈયારી બરાબર થવી જોઈએ, તેથી ૪૨ ગાથાઓમાં પ્રાથમિક વાત કરી છે, તે ધીરજથી સમજવી જરૂરી છે. ૧૩મી ગાથામાં એક સમસ્યા રજૂ કરી છે. સાંભળતા સાંભળતા જે જે પ્રશ્નો તમારા મનમાં ઊભા થઈ શકે એ પ્રશ્નો કૃપાળુદેવ જાતે રજૂ કરીને તેનું સમાધાન આપે છે. તેઓ જાણે છે કે કયા પ્રશ્નો ઊભા થશે? આ કડી પછી અને આ શબ્દો પછી, આવા પ્રશ્નો ઊભા થશે. આમ આપણાં પ્રશ્નોને જાણે છે અને આ પ્રશ્નોનું સમાધાન કરવું પડશે, એમ સમજીને પોતે તેનું સમાધાન પણ કરે છે. સગુનો યોગ પ્રાપ્ત થાય તો આનંદની વાત, પણ ન થાય તો વચગાળામાં શું કરવું? નિરાશ થવું? હતાશ થવું? બેસી રહેવું? ગમગીન થવું? આળસુ થવું? નિષ્ક્રિય થવું? કંઈ કર્યા વગર પડ્યા રહેવું? સગુનો યોગ પ્રાપ્ત થાય તો દશેરા ને દિવાળી, પણ સદ્ગુરુનો યોગ પ્રાપ્ત નથી થયો, મુમુક્ષુ ટાંપીને બેઠો છે, તેને તલસાટ છે. જેમ ચાતક પક્ષી મોઢું ફાડીને બેસે છે કે ક્યારે વરસાદ થશે? તેમ મુમુક્ષુ પણ સદ્ગુરુની રાહ જુએ છે, પણ સદગુરુ આવ્યા નથી. વિરહ છે, યોગ થયો નથી, ઝંખના છે પણ મળ્યા નથી. અંદરની તાલાવેલી છે પણ પ્રાપ્ત થયા નથી. તો તે દરમ્યાન કરવાનું શું? તેનો ઉત્તર આ તેરમી ગાથામાં કહ્યો છે. જ્ઞાની કહે છે કે નિરાશ ન થશો. સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થશે જ થશે. જેમ પવન વરસાદને ખેંચી લાવે છે તેમ મુમુક્ષતા સદ્ગુરુને ખેંચી લાવે છે. જેમ ગળપણ કીડીઓને ખેંચી લાવે છે. રસોડામાં કોઈ ઠેકાણે સાકરના દાણાં વેરાયા છે, તેની કીડીઓને તો ગમે ત્યાંથી ખબર પડી જાય છે, કારણ તેને સુગંધ આવે છે, અને તમને નવાઈ લાગશે કે સાકરના દાણા ભેગા રેતીના કણ પડ્યા હોય તો એ રેતીના કણને નહિ અડે. એ સાકરના દાણાને જ અડશે. આટલું આપણે કીડી પાસેથી સમજીએ તો પણ ઘણું છે. કીડી જેમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy