SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ પોતે જ જિન થઈ જાય છે. જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે, ભંગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે. (આનંદધનજી મહારાજ) રાગદ્વેષથી ભરેલો આ આત્મા છે. જિનનું ધ્યાન કરતાં કરતાં એક દિવસ તેના રાગદ્વેષ ખરી પડે છે, મોહ ખરી પડે છે, આસક્તિ ખરી પડે છે. જેમ ઝાડ ઉપરનું સૂકું પાંદડુ ખરી પડે છે, તેમ ભક્તિ કરતાં કરતાં રાગદ્વેષ ખરી પડે છે. કષાયો, માયા, આસક્તિ અને મોહ ખરી પડે છે. જન્મ, જરા, મરણ ખરી પડે છે, અને શરીર પણ ખરી પડે છે. અંદરની મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય છે. જિન સામે જોઈને તેમની ઓળખાણ થાય તેવી અવસ્થા સદ્ગુરુના ઉપદેશ વગર પ્રાપ્ત થતી નથી. આવો પ્રેમ પ્રગટ થતો નથી. જિનેશ્વરને ઓળખ્યા, સમજ્યાં પછી પ્રેમની ધારા પ્રગટ થશે. પછી એમ લાગશે કે જગતમાં પ્રેમ કરવા જેવું પાત્ર જો કોઈ હોય તો એક માત્ર પરમાત્મા છે. જ્યાં ત્યાં આપીને આ પ્રેમનું ધન આપણે ખોટું વેડફી નાખ્યું છે. આ પ્રેમનું ધન ક્યાંય પણ અર્પણ કરવા જેવું નથી. પરમાત્માના ચરણોમાં જ અર્પણ કરવા જેવું છે. માટે આનંદધનજીએ ગાયું: ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંત, રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. 28ષભદેવ ભગવાન મારા પ્રિયતમ છે. આ પ્રિયતમ શબ્દ અહીં શોભે. પ્રિયતમ પ્રિયતમ કહેતાં પરણ્યાં અને બીજા દહાડે છૂટા છેડાં લે ત્યાં “પ્રિયતમ” શબ્દ ન શોભે. એક વખત જો તેઓ રીઝયા તો આપણો સંગ છોડે નહીં. આ મારા પરમાત્મા એવા છે કે રીઝયા એટલે રીઝયા. સંગ જ ન છોડે. હાથ છોડે જ નહિ, ઠેઠ મોક્ષમાં લઈ જાય. કોઈ કહેનારો મળે આવો? એવાનો હાથ પકડો જે મોક્ષમાં લઈ જાય. એવાનો હાથ પકડો જે જીવનનો સાથી બની જાય. આ સમજો. આ સમજ્યા વગર પરમાત્માનો આપણા ઉપર કેવો ઉપકાર છે, તે ક્યાંથી ખબર પડે ? એક વખત જો ખબર પડી જાય તો શું સમજાઈ જાય? જિનેશ્વર પરમાત્માનું સ્વરૂપ. તે ઉપાસ્ય બને અને ઉપાસક બનેલો મુમુક્ષુ, આત્મા મટતો જાય અને પરમાત્મા બનતો જાય. વળગેલી ઉપાધિ છૂટતી જાય. સદ્ગુરુનો યોગ નિરંતર રહેવો દુર્લભ છે, પણ જ્યારે યોગ થાય ત્યારે અમે તો એમ કહીએ છીએ કે સદ્ગુરુ મળ્યાં તો તેના ચરણોમાં જ રહેજો. નિરંતર વીતરાગ પુરુષને સમજજો. તેમને સાંભળજો, અને એમ માનજો કે જીવનનો લ્હાવો ખરેખર જો હોય તો આમાં છે. સગુરુની વાણીથી સર્વજ્ઞ ભગવાનની અપૂર્વતા ભાસે છે અને તેની ઉપાસના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy