SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૬૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા કરતાં પોતે તે અવસ્થાને પ્રાપ્ત કરે છે. છેલ્લી વાત, આ બધાનું કારણ સદ્ગુરુ પ્રત્યે કૃતજ્ઞતાની બુદ્ધિ છે. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને ન ભૂલી શકાય એવી અવસ્થા. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સૌ હીન, તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. પ્રભુ, તમારા ચરણમાં શું અર્પણ કરું? આપવા જેવું મારી પાસે છે શું? હું જ ભિખારી છું. તમને હું શું આપું? પણ પ્રભુ ! તમને ઓળખ્યા, તમને જાણ્યા, મારા ઉપર તમારો ઉપકાર છે, તેની મને સ્મૃતિ થઈ, તેનું મને ભાન થયું. મારા માલિક! તમારા પ્રત્યે પ્રેમનો, સ્નેહનો સાગર ઊછળી રહ્યો છે, તેમાંથી ભક્તિ પ્રગટ થઈ છે, તેથી તમારી હું સ્તવના કરું છું, તમારું ધ્યાન કરું છું અને ધ્યાન કરતાં કરતાં જેમનું ધ્યાન હું કરું છું તેના જેવો બની જાઉં છું. આતમ પરમાતમકુ ધ્યાવે, સો આતમ પરમાતમ પદ પાવે, ભૃગી ઈલિકાને ચટકાવે તો ઈયરી ભમરી પદ પાવે. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થયા છે. તેમણે એક અનુભવ કહ્યો છે. કે “ભજન કરતાં પાંડુરંગ, સુકા ઝાલા પાંડુરંગ.' ભગવાન કૃષ્ણનું મહારાષ્ટ્રમાં પ્રિય નામ છે પાંડુરંગ. એમનું ભજન કરતાં કરતાં, ભજન કરનાર તુકારામ મટી ગયો અને પાંડુરંગ બન્યો. કબીરજીએ જુદી વાત કરી, “મન એસોનિર્મલ ભયો જૈસો ગંગા નીર', મન ગંગાનાં પાણી જેવું નિર્મળ થઈ ગયું, પછી શું થયું? “એક દિન કબીર હરિ હરિ કર રહા થા, અબ એક દિન ઐસા હો ગયા કે હરિ કબીર કબીર કર રહા હૈ.' આવી એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. આ ગાથા અદ્ભુત છે. એક એક ગાથા અદૂભુત છે. એને ઘૂંટવી પડે. “મર્દન ગુણવર્ધનમ્.” મહેંદીના પાંદડે પાંદડે રંગ છે, પણ લગાડતા આવડે તો? અને દૂધમાં માખણ છૂપાઈને રહ્યું છે, પણ વલોણું કરતાં આવડે તો? પરમકૃપાળુ દેવના શબ્દ શબ્દ મોક્ષ છે પણ પ્રાપ્ત કરતાં આવડે તો? બારમી ગાથાની આ સમાપ્તિ છે. પરમકૃપાળુ દેવની ખૂબી છે, સદ્ગુરુ યોગ થયો નથી ને? ચિંતા કરીશ નહિ. એક દરવાજો બંધ છે તો તને બીજો દરવાજો ઉઘાડી આપશું, અને એ પણ બંધ થાય તો ત્રીજો દરવાજો. આવતી કાલે ૧૩-૧૪ મી મહત્ત્વની ગાથામાં આ જોઈશું. ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy