SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૯ તીર્થની સ્થાપના કરી છે. તીર્થંકરદેવે આત્મકલ્યાણનો આખો માર્ગ ઊભો કર્યો છે. આ નેશનલ હાઈ-વે છે. કોઈ વિઘ્ન નહિ, અંતરાય નહિ, એવો માર્ગ છે. સર્વજ્ઞ પરમાત્માની આ અપૂર્વતાનું વર્ણન સગુરુ કરે છે. એ વર્ણન સાંભળતા મુમુક્ષુના હૃદયમાં પરમાત્મા પ્રત્યે બહુમાન ક્રૂરે છે, અને એમાંથી ભક્તિ જાગે છે, આને કહેવાય છે ભક્તિ. થોડા સ્તવનો બોલો, એટલે ભક્તિ માનો છો ને? સારી વાત છે. અમે તો કોઈની ઓછી કિંમત આંકતા નથી પણ આનાથી ઊંચો માલ પણ છે. આ લોઢાનો કટકો અને આ ચાંદીનો ટૂકડો છે. ચાંદી કરતાં સોનું વધારે મોંઘુ છે, અને સોના કરતાં હીરા ને માણેક વધારે મોંઘા છે. લોઢું લોઢાની જગ્યાએ બરાબર પણ ઝવેરાત સાથે સરખામણી ન થાય. પરમાત્માની ઓળખાણ થયા પછી એમનો મારા ઉપર અનંત ઉપકાર છે. મારી ચિંતા એમણે કરી છે. સંસારથી, કર્મથી, રાગદ્વેષથી હું મુક્ત બનું, મોહથી મુક્ત બનું, મુક્ત બનું તેમ નહિ પણ બધાને મુક્ત બનાવું. અભયદયાણું, ચકખુદયાણું, મમ્મદયાણ, સરણદયાણું, બોડિદયાણું, ઘમ્મદયાણ, ઘમ્મદેસયાણ, ધમ્મનાયગા, ધમ્મસારહીશું, ઘમ્મરચાઉરંતચક્રવઢણું. જિણાણું જાવયાણ, તિન્નાખું તારયાણું, બુદ્ધાણં બોયાણ, મુત્તાણું મોઅગાણું.” “પ્રભુ ! તમે આ અદ્ભુત કામ કર્યું.” આ સાંભળતા સાંભળતા રોમ રોમમાં ઉલ્લાસ થાય અને ઉલ્લાસમાંથી જે ભાવ પ્રગટે તેને કહેવાય છે ભક્તિ. ભક્તિ ચેતનાની અવસ્થા છે. ભક્તિ ક્રિયા નથી. મીરાએ ગાયું: નથી રે પીધાં અણજાણી મેવાડના રાણા, ઝેરનાં પ્યાલાં પીધાં અમે જાણી. તમે ઝેર આપો પણ મને તો અમૃતનો પ્યાલો મળે છે. એ અમૃતનું પાન કર્યું છે. હવે તમારા ઝેરના પ્યાલા અમને પજવવાના નથી, આ ભક્તિ કહેવાય. પરમાત્માને યાદ કરતાં કરતાં હૈયું ભરાઈ જાય. નારદજી એમ કહે છે “કંઠ અવળોદ થાય, ભરાઈ જાય, આંખમાં આંસુ આવે. બોલી ન શકો, હૈયું ભરાઈ જાય, રોમાંચ ખડા થઈ જાય.” એ પરમાત્માને યાદ કરતાં, જે શબ્દો નીકળે તેને કહેવાય છે ભક્તિ, ભક્તિ પ્રેમની અભિવ્યક્તિ છે. હૃદય હલબલી જાય અને મન તરબતર થઈ જાય, પછી જે ગીત નીકળે તેને કહેવાય છે ભક્તિ. સદ્ગુરુના ઉપદેશથી વીતરાગ પુરુષ પ્રત્યે આવી ભક્તિ જાગે છે. સદ્ગુરુનો ઉપદેશ શું કામ કરે છે? જીવનમાં પોતાનો આત્મા જાગૃતિ પામીને, જિન સ્વરૂપ જ પોતાનું છે એવો નિર્ણય કરીને, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થનું મંડાણ કરે છે. આને કહેવાય છે ધર્મ, આને કહેવાય છે ધ્યાન અને યોગ, આને કહેવાય છે તપ, અને મજાની વાત તો એ છે કે જિનની-વીતરાગની ઉપાસના કરતા કરતા એક દિવસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy