SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૭ આવે. એના સિવાય કંઈ યાદ ન આવે. એવી અવસ્થા હે પ્રભુ! હવે જીવનમાં પ્રાપ્ત કરવી છે, આ આકાંક્ષા છે, આ ઝંખના છે, માટે કૃપાળુ દેવે કહ્યું કે, સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તો તે પામે જિનદશા, જિન છે આત્મસ્વરૂપ. જિન એટલે વીતરાગ પરમાત્મા આત્મસ્વરૂપ છે, નોકર્મથી રહિત, દ્રવ્યકર્મથી રહિત, ભાવકર્મથી રહિત, ટૂંકમાં રાગદ્વેષ વિભાવોથી રહિત. અસલ જે શુદ્ધ આત્મા છે તે જિન છે, વીતરાગ છે, કારણ કે શુદ્ધ સ્વભાવને પામ્યા છે, અને તેથી અમારું મસ્તક ઝૂકે છે. પ્રભુ ! તમે રાગદ્વેષથી રહિત થયા છો. અમે તમારા ગુણાનુવાદ કરીએ છીએ કે “હે પ્રભુ! તમે રાગદ્વેષને જીત્યા છે.” આવો જિનનો સ્વભાવ સમજાય તો અંદરથી આત્માનો રણકાર આવે, ઝંકાર આવે. જેમ સિતારના તાર ઉપર રવિશંકરની આંગળીઓ ફરે અને ઝંકાર ઊઠે તેમ હે પરમાત્મા ! તમને જોતાં અમને અંદરથી આત્માનો ઝંકાર આવે. આટલા વર્ષોમાં આપણને મંદિરમાં કોઈ દિવસ ઝંકાર આવ્યો ખરો? રણકાર તો અંદરથી આવે છે. સદ્ગુરુના ઉપદેશથી પોતાના સ્વરૂપની દશા પામે છે, કારણ કે શુદ્ધ આત્મપણું એ જિનનું સ્વરૂપ છે. શુદ્ધ આત્મા કહો કે જિન કહો. રાગ, દ્વેષ અને અજ્ઞાન જેમના વિષે નથી, તે શુદ્ધ આત્મા છે. જેવા વીતરાગ પરમાત્મા રાગદ્વેષ અને અજ્ઞાનથી મુક્ત છે, તેમ સત્તાની અપેક્ષાએ બધા જીવો પણ એમના જેવા જ છે. મોહનવિજયજી મહારાજે ભગવાનને ઠપકો આપ્યો છે, અરે ! ભક્તોની મસ્તી હોય છે અને મસ્તીમાં બોલે છે, “બાળપણે આપણ સનેહી, રમતાં નવ નવ વેશે', ભગવાન ભૂલી ગયા ! અમે નાના હતાં ત્યારે આપણે સાથે ધૂળમાં રમતાં હતાં. “આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે.” તમે પ્રભુતા પામ્યા, તીર્થંકર થયાં, સિદ્ધ બન્યાં, મુક્ત બન્યાં, વીતરાગ થયા અને અમે તો ત્યાંના ત્યાં રહ્યાં. જો ખરેખર સભાવના હોય, પ્રેમ હોય તો આ બાળપણનો સાથી, બાળપણનો ગોઠિયો સંસારમાં રખડે છે, તેને રખડતો બંધ કરો. તમારા જેવો મને બનાવી દો, આ ભક્તિ. પરમાત્માને કહેવાનો ભક્તને અધિકાર છે. અને માટે એમ કહ્યું કે, સહુ કોના મનવાંછિત પૂરો, ચિંતા સહુની ચૂરો, એવું બિરૂદ છે રાજ તમારું, કેમ રાખો છો દૂરે. પ્રભુ ! તમે તમારા પદને કેમ યાદ કરતાં નથી? કોઈ ભક્ત વળી એમ કહ્યું, દાયક નામ ધરાવો છો, તો દેતા શું થાય? સુરતરુની આગેરે, શું બહુ માંગવું? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy