SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ બહારની, મંદિરમાં બનેલી ઘટના પણ તે જ વખતે અંદરમાં ઘટના શું ઘટી? “ભાસ્યો આત્મસ્વરૂપ', તમને જોતાં જોતાં પ્રભુ! અંદરમાં હું મને જ મળી આવ્યો. હું મને યાદ આવ્યો. મને ખ્યાલ આવ્યો કે હું દેહ સ્વરૂપ નથી, હું આત્મ સ્વરૂપ છું, એ ઝણકાર અંદરથી આવ્યો. એ ધ્વનિ અંદરથી આવ્યો, એ ગીત અંદરથી આવ્યું, એ સંગીત અંદરથી આવ્યું, એ તાલ અંદરથી આવ્યો, એ અવાજ અંદરથી આવ્યો, આત્મસ્વરૂપનું મને ભાન થયું. અનાદિકાળથી હું પોતાને ભૂલી ગયો હતો. આપ આપસે ભૂલ ગયા, તો ઈનસે ક્યા અંધેર સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર એટલા માટે આત્મસિદ્ધિની પહેલી ગાથામાં કૃપાળુદેવે કહ્યું કે : જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. પહેલી ગાથામાં લગનનો માંડવો રોપ્યો અને ગીત ગાયાં. બ્રહ્મ સાથે મળવાનું છે, સિદ્ધ સાથે મળવાનું છે. સિદ્ધો સાથે તેમની પંગતમાં બેસવાનું છે. અનાદિથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો હતો, તેનું ભાસન થયું. સકલ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ, પ્રભુ! એક બીજી ઘટના ઘટી. આ જેટલી ઉપાધિ છે, માયાની, સંસારની, રાગદ્વેષની, કષાયોની એ બધી ઉપાધિમાંથી મારું મન ઓસર્યું. ઓસર્યું એટલે સમજીને પાછું વળી ગયું, મન ઉપાધિમાંથી પાછું વળી ગયું. સત્તા સાધન માર્ગ, ભણી એ સંચર્યો હો લાલ. અને પ્રભુ! મારી અસલિયત તરફ જવાનો મેં નિર્ણય લઈ લીધો છે. મારી અસલિયત આ સંસારમાં નથી, મારું સ્વરૂપ આ દેહમાં નથી, મારું હોવાપણું રાગદ્વેષમાં નથી, મારી અસલિયતની મને ખબર પડી ગઈ. હવે તો મારે તમારા દરબારમાં આવવું છે, જ્યાં સિદ્ધોનો મેળો છે, ત્યાં મારે આવવું છે, અને ત્યાં જીવવું છે. એટલા માટે આનંદધનજીએ કહ્યું કે, “જહાં સિદ્ધોકા મેલા', જ્યાં સિદ્ધનો મેળો છે ત્યાં અમારે જવું છે. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત કરવી છે. દેવચંદ્રજી મહારાજ કહે છે કે પ્રભુ ! તમે ત્રિભુવનના નાથ છો, હું તમારો દાસ છું. હે કરુણાસાગર ! મારી એક અભિલાષા છે કે જે આત્મસ્વભાવ છે, જે આત્મતત્ત્વ છે તે મને સાંભર્યા કરે. હું એને યાદ કર્યા કરું, કાં તમે યાદ આવો, કાં તો મને મારો આત્મા યાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy