SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા પ્રતીતિ જીવનમાં થાય તેને સમ્યગ્દર્શન કહે છે. એ બહુ મોટું કામ છે. શંકરાચાર્યજીએ ઉદ્ઘોષણા કરી કે વિવાનંવરુપ: શિવોડઠમ્ શિવોમ્. હું ચિદાનંદ સ્વરૂપ કલ્યાણમય આત્મા છું ‘7 મે રાદ્વેષી, ન મે જામોધો.’ રાગદ્વેષ કે કામ ક્રોધ મારામાં નથી. ઉપાધિ મારામાં નથી. જેમ માખણ છાશથી જુદું છે, તેમ આ બધાથી હું જુદો છું. જ્ઞાની પુરુષ એમ કહે છે કે ‘જો ! તું ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા છો. જો ! તું અમારા જેવો છે. જો ! તું વીતરાગ જેવો છે.’ આ ઉપદેશ જ્ઞાની પુરુષ પાસેથી, શ્રી સદગુરુ પાસેથી જ્યારે મળે છે ત્યારે જિનેશ્વરનું સ્વરૂપ યથાર્થપણે સમજાય છે. મંદિરમાં તો જાઓ છો, ધન્યવાદ. પૂજા પણ કરો છો, આનંદની વાત, અને અડધી કલાક સ્તુતિ કરો છો, તે બહુ આનંદની વાત. હાથ જોડીને બહાર પણ નીકળો છો, બરાબર છે, પણ જેની પૂજા અને ભક્તિ કરો છો તેને ઓળખો છો ખરા ? એ છે કોણ ? તેમની સાથે આપણો સંબંધ શું છે ? તેઓ આપણી જ્ઞાતિના છે. વિશા, દશા, ઓસવાળ એ જેમ જ્ઞાતિ છે તેમ સિદ્ધ પણ જ્ઞાતિ છે. આપણે સિદ્ધની જ્ઞાતિના છીએ. તમને કોઈ પૂછે કે તમે કઈ જ્ઞાતિના ? તો આજથી કહેજો કે અમે સિદ્ધ પરમાત્માની અને વીતરાગની જ્ઞાતિના છીએ. આ અમારી ખરી જ્ઞાતિ છે. એક વખત આનંદથી કહો કે ‘હે વીતરાગ ! હે પરમાત્મા ! હું પણ તમારા જેવો છું.’ પરમાત્મા પણ કહેશે, ‘સાંભળ, તું અમારા જેવો છે. ભલે વર્તમાનમાં તું મેલો છે પણ થઈશ અમારા જેવો.’ આ પ્રતીતિ આવે તેને સમ્યગ્દર્શન કહે છે. દેવચંદ્ર મહારાજ મંદિરમાં ગયાં છે. સુવિધિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કરતાં ધ્યાનમાં ઊતરી ગયાં છે, સમાધિમાં ઊતરી ગયા છે, અને સમાધિમાંથી આ શબ્દો આવ્યા છે. દીઠો સુવિધિ જિણંદ, સમાધિ રસે ભર્યો હો લાલ. મેં સુવિધિનાથ ભગવાનને જોયા. કેવા લાગ્યાં ? સમાધિના રસથી ભરેલાં. શેરડીના રસ અને આઈસ્ક્રીમના રસ કરતાં પણ મીઠો રસ, એ સમાધિનો રસ છે. જ્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ નથી, એવા સમાધિના રસથી ભરેલાં પ્રભુ ! અમે તમને દીઠાં. દીઠાં એટલે જોયા. અમે તમને વિનંતી કરીએ છીએ કે જ્યારે મંદિરમાં જાવ ત્યારે ઘડિયાળ તો જોશો જ નહિ. પાંચ-દશ મિનિટ એકીટશે ભગવાન સામે જુઓ. કંઈ બોલવાની કે કરવાની જરૂરી નથી. પરમાત્માને બસ નીરખો, નીરખો, નીરખો ને ધરાઈને જુઓ. અખિયનમેં અવિકારા, જિણંદા તેરી અખિયનમેં અવિકારા, ૧૫૫ રાગદ્વેષ પરમાણુ નિપાયા, સંસારી સવિકારા. આ બધા સંસારી વિકારોવાળા છે. હે પરમાત્મા ! તારી આંખમાં ક્યાંય પણ રાગનો દ્વેષનો વિકાર દેખાતો નથી. એ જોઈને અમારું માથું આપોઆપ ઝૂકી જાય છે. આ તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy