SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ સ્વરૂપને શોધવું છે ? સ્વરૂપને પ્રાપ્ત કરવું છે ? સ્વરૂપની ઓળખાણ કરવી છે? જો કરવી છે તો થાય કેવી રીતે ? આ જગતમાં કોની સામે જોઈએ તો આપણી ઓળખાણ થાય ? આ જગતમાં કોની સામે નજર માંડવી ? કે જેની સામે જોતાં આપણી ઓળખાણ થાય ? જ્ઞાનીપુરુષ કહે છે કે જિન સામે જોઈએ તો આપણી ઓળખાણ થાય. આપણી ઓળખાણ જો કરવી હોય તો જિનેશ્વરને, આ વીતરાગને ઓળખવા પડશે. વીતરાગ સામે જોઈને આપણા આત્માની ઓળખાણ થાય. હું પણ આમના જેવો છું. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. આ સદ્ગુરુ ભગવંતે સ્વરૂપ સમજાવ્યું, માટે તેમને નમસ્કાર કર્યા છે. સદ્ગુરુ એમ કહે છે કે વર્તમાનમાં તારી અવસ્થા ગમે તેવી હોય, કર્મથી બદ્ધ હોય, ઉપાધિથી, રાગદ્વેષથી અને કષાયથી યુક્ત હોય અને તારામાં ગમે તે ભર્યું હોય; વિચારો, વિકલ્પો ભર્યા હોય, મમત્વ ભર્યું હોય, તું ગમે તેવો હો પણ અસલમાં તો તું આ બધાથી જુદો છે. તું ધનથી જુદો છે અને ઘરથી પણ જુદો છે. તું દેહથી જુદો ને ઈન્દ્રિયોથી જુદો છે. તું પ્રાણથી પણ જુદો છે, મનથી જુદો, બુદ્ધિથી જુદો, વિકલ્પો, વિચારો ને કષાયોથી પણ જુદો છે. વિભાવોથી જુદો અને તમામ અધ્યવસાયોથી પણ જુદો છે. વર્તમાનમાં આ બધું ભલે તારામાં દેખાતું હોય, પણ તે તારું સ્વરૂપ નથી. ભાઈ ! આ સોનાની લગડી ભલે ગટરમાં પડી હોય પણ એ સોનાની લગડી નહીં મટે. તેને બહાર કાઢો અને નળ નીચે ચોખ્ખા પાણીથી ધુઓ એટલે ચોખ્ખી. જ્ઞાની પુરુષ એમ કહે છે કે તું કર્મથી ભલે બંધાયેલો છે, ભલે રાગદ્વેષથી ભરેલો છે, કષાયોથી ભરેલો છે, પણ તારામાં એ ન હોય, તું એનાથી જુદો છે. કર્મથી જુદો છે, ઉપાધિથી અને રાગદ્વેષ તથા કષાયોથી જુદો છે. આવો ભણકાર કાન ઉપર સદ્ગુરુ પાસેથી આવે છે. દેવચંદ્રજી મહારાજે કહ્યું, પ્રભુ ! રાગદ્વેષે ભર્યો મોહ વૈરી નડ્યો; લોકની રીતમાં ઘણુંયે રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંહે હું વિષય માતો. આવો દોષોથી ભરેલો હું છું, પણ જ્ઞાની પુરુષ કહે છે કે આવો હોવા છતાં બીજી વાત તું સાંભળ, અમે તને કહીએ છીએ : શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. અસલમાં તું આ છે. કુંદકુંદાચાર્યજી, અમૃતચંદ્રસૂરિ મહારાજ, હરિભદ્રસૂરિ મહારાજ વગેરે જ્ઞાની પુરુષો કહે છે કે આ વીતરાગ પુરુષો છે, અને આપણે તેના જેવા છીએ. એવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy