SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૫૧ કેટલાંક લોકો એવાં હશે કે ડૉક્ટરના દવાખાનાનું પગથિયું પણ નહિ ચડ્યા હોય, પણ એક દિવસ એવો આવે અને દસ જણને પૂછે છે કે કયો ડૉક્ટર સારો ? અને આપણે એને પૂછીએ છીએ કે શું થયું છે તમને ? હાર્ટનો પ્રોબ્લેમ છે, હાર્ટનો સ્પેશ્યાલિસ્ટ કોણ છે ? પ્રોબલેમ થયો એટલે સ્પેશ્યાલિસ્ટને શોધે છે. જેઓને પ્રોબલેમ થયો નથી તેઓ સ્પેશ્યાલિસ્ટને શોધતા પણ નથી. ધન્નાજીની માતા ધન્નાજીને કહે છે કે ધન્ના ? બત્રીસ પદ્મિની સ્ત્રીઓ સોનાના થાળમાં મિષ્ટાન્ન લઈને તારા ચરણોની સેવા કરવા ઊભી છે. ધન્નાજી કહે છે કે મા ! મને પોપટનું પિંજરું યાદ આવે છે. પિંજરમાં એક પોપટ છે, તે પોપટ મહારાણીના મહેલમાં છે. મહારાણીને પોપટ બહુ વહાલો છે. એ પોપટને સાચવવા માટે, તેની સેવામાં દસ બાર દાસીઓ અને નોકરો છે. અને છએ ઋતુના મધુર મધુર ફળ સોનાના કટોરામાં તેને ખવડાવવામાં આવે છે. પાંજરું પણ સોનાનું છે, તેમાં હીરા અને માણેક જડ્યાં છે, છતાં એ પોપટ જ્યારે જ્યારે આકાશમાં કોઈ પોપટને ઊડતાં જોવે છે ત્યારે ત્યારે તેને એમ થાય છે કે આ પિંજરું ક્યારે ઉઘડશે ? આ બારણું ક્યારે તૂટશે ? હું ક્યારે મુક્ત બનીને આકાશમાં વિહાર કરીશ. ભલે ખાવાનું ઠેકાણું નથી, રહેવાની જગ્યા નથી. કયા ઝાડ ઉપર ફલેટ બનાવવો એ ખબર નથી ? છતાં તેને આ પાંજરું ઊઘડી જાય, આ દરવાજો ખૂલી જાય, હું બહાર નીકળું અને બધા સાથે ક્યારે આકાશમાં ઊડું ? એ જેમ પોપટને ગમે છે તેમ મા ! મને પણ મુક્તપણે આકાશમાં ઊડવું ગમે છે. મને પણ સ્વતંત્રતા અને સ્વાધીનતા ગમે છે. કોઈ આસક્તિના, માયાના, મમતાના, મારાપણાના, મોહના, સ્નેહના, રાગદ્વેષ અને કષાયોના બંધનો તથા સંબંધો મને ગમતાં નથી. હવે આ પાંજરું મારે છોડી દેવું છે, અને બહાર નીકળવું છે. રત્નજડિતકો પિંજરો રે માતા, તે સૂડો જાણે રે બંધ, કામભોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફંદ રે, જનની ! હું લેવું સંયમ ભાર. મા ! મને આજ્ઞા આપો, મને જવા દો. તેમનું અંતર જાગી ગયું. ‘દ્રાક્ષ ખાટી છે’, તેમ શિયાળે કહ્યું અને બધાએ તે માની પણ લીધું, પણ કોઈક લુચ્ચો શિયાળ તેનો મિત્ર હતો. તેણે પૂછ્યું કે દ્રાક્ષ ખાટી કેમ છે ? તો કહે કેટલાયે કૂદકા માર્યા પણ દ્રાક્ષ મોઢામાં ન આવી, માટે દ્રાક્ષ ખાટી છે. તમને સંસાર અસાર લાગ્યો હશે પણ દ્રાક્ષ ખાટી છે તેના જેવો. જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજાઈ જાય કે સંસાર આવો છે. સંસારની કોઈ નિંદા કરવાની જરૂર નથી, સંસારને વગોવવાની કે સંસારનો દોષ જોવાની પણ જરૂર નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy