SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ આવે છે ખરા ? કોઈક વખત કદાચ જરૂર આવ્યા હશે, પણ એ વિચારો પાછળ સમ્ય સમજણ છે? યથાર્થ દર્શન છે? યથાર્થ બાબતનો ખ્યાલ છે કે સંસારમાં આવી ઘટના ઘટે છે? આપણે એકમેકને કહીએ છીએ કે તારા વગર નહિ જવાય. “સાથ હી મરના ઔર સાથ હી જીના, જબ તક ચમકે ચાંદ સીતારે છૂટે ન મેરી પ્રીત.” આવું થતું હશે. અરે ! અજ્ઞાનદશામાં આ બકવાસ કર્યો છે. આકાશમાં ચાંદો અને તારા હોય ત્યાં સુધી તારો પ્રેમ નછૂટે? અલ્યા, તારું જ્યારે હાર્ટ ફેઈલ થશે ત્યારે તો તું રસ્તે પડી જઈશ. મુમુક્ષુને ખ્યાલ છે કે આવી ઘટના સંસારમાં બને છે. તે આ ઘટનાઓને, પરિસ્થિતિને જાણે છે. દેહરૂપ યુગલની અવસ્થાને પણ જાણે છે. પુત્ એટલે પૂરણ અને ગલ એટલે ગલન, ભેગા થવું અને છૂટું પડવું, પુદ્ગલો ભેગા થયા પછી છૂટા ન પડે, તેવું બને નહિ. આવું સંસારનું સ્વરૂપ હોવાના કારણે અને વારંવાર પરિભ્રમણ કરવું પડતું હોવાના કારણે હવે એનાથી એ થાક્યો છે. પરમકૃપાળુ દેવે ઘણા ઠેકાણે કહ્યું છે કે હવે જન્મમરણનો થાક લાગે છે”, આવો થાક જેને લાગે છે તે મુમુક્ષુ છે. એને સંસારમાંથી મુક્ત થવું છે. એને લગની લાગી છે, ધૂન લાગી છે. અત્યાર સુધીમાં એની નોંધપોથીમાં બે શબ્દો જ હતાં-અર્થ અને કામ, પૈસો અને ભોગ. હવે ત્રીજો શબ્દ એમાં ભળ્યો, એ શબ્દ છે મોક્ષ. મોક્ષની પાછળ ધર્મ આવશે. જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે તે કઈ પ્રક્રિયા, કઈ રીતથી, કયા સાધનથી, કયા ઉપાય કરે કે આ મોક્ષ મળે? એ જે પ્રક્રિયા તેનું નામ ધર્મ. હવે અર્થ અને કામ ગૌણ થયા, મોક્ષ મુખ્ય બન્યો અને ધર્મ એના જીવનમાં આવ્યો. જ્યાં સુધી અર્થ અને કામ મુખ્ય છે ત્યાં સુધી ગમે તેટલી અધ્યાત્મની વાતો કરીએ કે સાંભળીએ પણ આપણે તો ઠેરના ઠેર. આ ધરતી ઉપર ઘણી આશ્ચર્યકારક ઘટનાઓ ઘટે છે. અષ્ટાવક્રજીના આઠે અંગ વાંકા, હાથ વાંકા, પગ વાંકા, મોટું અને નાક પણ વાંકા છે. આવા અષ્ટાવક્રજીના ચરણોમાં જનકવિદેહી બેઠા છે. જનકવિદેહીને તેઓ પૂછે છે : मुक्तिमिच्छसि चेत्तात विषयान् विषवत्त्यज । क्षमार्जवदयातोषसत्यं पीयूषवद्भज ॥ તને મુક્તિની ઇચ્છા છે? આ બંધનમાંથી બહાર આવવું છે? આ પિંજરામાંથી બહાર નીકળવું છે? તો વિષયોને વિષવત્ ત્યજ, અને ક્ષમા, દયા, આર્જવ, સંતોષ અને સત્યને પીયૂષવતુ ભજ. તને જો મોક્ષની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન થઈ હોય તો, મારી આ વાત તારા કામની છે, નહિ તો મારી આ વાત તારા કામની નથી. અહીંયા મુમુક્ષુ માટે સદ્ગુરુની, જ્ઞાની પુરુષની જરૂર છે. મુંબઈમાં ઘણા ડૉક્ટરો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy