SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૯ પોતાના માટે મહેલ બનાવ્યો છે અને પોતે જ મહેલમાં રહી શકવાનો નથી. પ્લાનિંગ કરી પોતે જ ઘર બનાવ્યું હોય, ધનનું રોકાણ પોતે કર્યું હોય, અને આર્કિટેકનું પણ પોતે જ નક્કી કર્યું હોય અને બંગલો મજબૂત થાય એટલા માટે પોતે જ પાણી છાંટેલ હોય છતાં પણ એ જ્યારે મરણ પામશે ત્યારે તો જંગલમાં જ તેને લઈ જશે. આ સંસાર આ પ્રકારનો છે, તેમ સંસારની અસલિયતને મુમુક્ષુ બરાબર સ્પષ્ટપણે જાણે છે. - તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે કે “ગાયત્વમાવી ૨ સંવેવૈરાયાર્થમ ” આ જગતની રચના અને શરીરની વ્યવસ્થા જો તમે જાણી લો તો તેમાંથી સંવેગ અને વૈરાગ્ય થયા વગર રહેશે નહિ. એમ કહેવાય છે કે રોકફેલર પોતાની ઓફિસમાં, પોતાના ટેબલ ઉપર લાખો રૂપિયાની કિંમતી વસ્તુઓ મૂકતો હતો અને તે બધાની વચમાં એક તૂટેલો ફૂટેલો કાચનો ગ્લાસ પણ મૂકતો હતો. લોકો કહેતાં કે આ ઓફિસની કિંમતી વસ્તુઓ સાથે તૂટેલો ગ્લાસ ઠીક નથી લાગતો. તમારું કિંમતી ટેબલ છે. આ ફૂટેલો ગ્લાસ જરા દૂર મૂકો ને? રોકફેલર માર્મિક પ્રત્યુત્તર આપતાં કહેતો કે આ મારો ગુરુ છે. તે મને એમ કહે છે કે જેમ આ કાચનો ગ્લાસ તૂટ્યો છે તેમ એક દિવસ આ બધું તૂટવાનું છે. કાચની કાયારે છેવટ છારની, કૂડી છે માયારે આ સંસારની, શીતલ નહીંછાયારે આ સંસારની. સંસાર આવી છે તે અજ્ઞાની જાણતો નથી, સંસાર આવી છે તે ભોગી જાણતો નથી, પણ આવા સંસારને મુમુક્ષુ બરાબર જાણે છે. મુમુક્ષુ સંસારનું સમ્યગદર્શન કરે છે, એ નિરાશ થતો નથી. વૈરાગ્યમાં નિરાશા નથી, બળાપો નથી. વૈરાગ્ય એ જીવનની મસ્તી અને જીવનનો આહૂલાદ છે. મુમુક્ષુએ તથ્ય અને સત્ય જાણ્યું છે. હવે તેને સંસાર અસાર લાગે છે. તે કંટાળ્યો નથી. કંટાળો તે વૈરાગ્ય નથી. કંટાળો નેગેટીવ એપ્રોચ છે. હવે તેને સંસારમાં રમવું નથી, રહેવું નથી. તેને જનમવું નથી. મરણ તો ટાળી શકાય તેમ નથી પણ હવે નવો દેહ ધારણ કરવો નથી. નવી માતાની કુખમાં જવું નથી, તેમ તેને થયા કરે છે. જન્મમરણ મારે ટાળવા છે અને તેમાંથી મુક્ત બનવું છે. મરવું પડશે, દેહ છોડવો પડશે પણ જન્મ નથી લેવો. આવી ઝંખના એના અંતરમાં થાય છે. મારે મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી છે, જ્યાં આધિ, વ્યાધિ કે ઉપાધિ ન હોય, જ્યાં જન્મ, જરા ને મરણ ન હોય. દુ:ખ ન હોય, ચિંતા ન હોય, ડિપ્રેસન કે સપ્રેસન ન હોય, ટેન્શન અને ચિંતા પણ ન હોય. | મુમુક્ષુને સ્પષ્ટ થઈ ગયું છે કે હવે આ સંસાર ન જોઈએ. જ્યાં જરા નથી, મૃત્યુ નથી, ઉપાધિ નથી, વેદના નથી, એવી કોઈ જગ્યા મારે જોઈએ છે. એવી કોઈ અવસ્થા મારે જોઈએ છે કે જે અવસ્થામાં દેહ ધારણ કરવો ન પડે. આપણને કોઈ દિવસ આવા વિચારો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy