SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ પ્રવચન ક્રમાંક - ૧૪ ગાથા ક્રમાંક - ૧૨ સદ્ગુરુના ઉપદેશનું માહાભ્ય સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ સમજ્યાવણ ઉપકાર શો?સમયે જિનસ્વરૂપ. (૧૨) ટીકા સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં, અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારનો આત્મા પરિણામે જિનની દશાને પામે. (૧૨) આપણે સ્પષ્ટપણે સમજી લેવા જેવું છે કે સદ્ગુરુની જરૂર કોને છે? સદ્ગુરુની જરૂર બધાને નથી, માત્ર મુમુક્ષુને છે, માત્ર આત્માર્થીને અને જીજ્ઞાસુને છે. આ ધરતી ઉપર અબજો માણસો છે. તેમને બધાને સદ્દગુરુની જરૂર નથી, અને ચારે ગતિમાં રહેલા જીવો જો ગણીએ તો તેમની સંખ્યા અનંત છે. નરકગતિમાં અસહ્ય વેદના છે. દેવગતિમાં ભોગવિલાસ વિશેષ છે. તિર્યંચ ગતિમાં કોઈ સમજણનું સ્તર નથી. બાકી રહ્યાં માત્ર મનુષ્યો, તેમની સંખ્યા આ ધરતી ઉપર અબજોમાં છે. તે બધાને સદ્ગુરુની જરૂર નથી, પણ મુમુક્ષુતા જેના અંતરમાં જાગી છે, જે જીજ્ઞાસુ બન્યો છે, આત્માર્થી બન્યો છે, તેને સદ્ગુરુની જરૂર છે, પણ એને સદ્ગુરુની જરૂર શા માટે પડે છે? મુમુક્ષુને હવે સંસાર અસાર લાગે છે. મુમુક્ષુના અંતરમાં હવે અસલિયતનો ખ્યાલ આવી ગયો છે કે આ સંસાર કેવો છે? ફૂલ ખીલ્યું છે, પણ તેની અસલિયત તો એ છે કે તે ચાર દિવસ પછી કરમાઈને ખરી પડશે. ચંદ્ર ઊગ્યો છે અને ધરતી ઝાકઝમાળ થાય છે, પણ અસલિયત તો એ છે કે અમાસનો ઘનઘોર અંધકાર આવશે. માથાના જુલ્ફાવાળ આજે શોભે છે પણ તેમાં અસલિયત તો એ છે કે ઘાસના પૂળાની જેમ એ એક દિવસ બળી જશે. અપને ખાતિર મહેલ બનાયા, આપ હી જંગલ જાકર સોયા.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy