SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ સંસારની ટીકા કરવાની પણ જરૂર નથી. આ જગતનું સત્ય છે, જગતની અવસ્થા છે, જગતનું સ્વરૂપ છે. આજે યુવાન લાત મારે અને ભીંત તૂટી જાય, પણ પછી જો એને લકવો થાય તો જાતે ખાઈ પણ નથી શકતો. આ સંસાર પણ આવો પરિવર્તનશીલ છે. જ્ઞાની પુરુષો કહે છે કે : जम्मदुक्खं जरा दुक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसंति जंतुणो ॥ આ સંસારમાં જનમનું દુઃખ, ઘડપણનું દુ:ખ, રોગનું દુઃખ અને મરણનું દુઃખ છે. આ સંસાર જ દુઃખરૂપ છે, ત્યાં પ્રાણીઓ પીડાય છે. આવા સંસા૨થી મુક્ત થવાની વેદના અને વ્યથા મુમુક્ષુના અંતરમાં જાગી છે. તેને થાય છે કે કેવી રીતે મુક્ત થવાય ? સંસારની આધારશિલા મોહ છે, રાગદ્વેષ છે અને ચાર કષાય છે. रागो य दोसोविय कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाईमरणस्स मूलं, दुक्खं च जाईमरणं वयन्ति ॥ ભગવાન મહાવીર કહે છે રાગ અને દ્વેષ એ કર્મનું બીજ છે, એ સંસારનું બીજ છે. એ રાગ અને દ્વેષ દૂર કરવા જરૂરી છે. મુમુક્ષુમાં એવી ઝંખના જાગે છે કે રાગ દ્વેષ જેનામાં ન હોય તેવા પુરુષને મારે શોધવા છે. પહેલી ઝંખના સદ્ગુરુનો યોગ ક્યારે પ્રાપ્ત થાય અને બીજી ઝંખના રાગ, દ્વેષ, મોહ તથા કષાયોથી મુક્ત, આસક્તિ ને મમત્વથી મુક્ત, વાસનાથી મુક્ત એવા પુરુષની ક્યારે પ્રાપ્તિ થાય ? આવા પુરુષની શોધમાં જે નીકળ્યો છે, તેને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુની બે શોધ છે. એક વીતરાગ પુરુષની શોધ અને એક સદ્ગુરુની શોધ. એમનું સ્વરૂપ જાણે. એ કેવી રીતે વીતરાગ બન્યા ? થોડી આસક્તિ છોડવી પણ જ્યાં મુશ્કેલ છે, રાગ દ્વેષ છોડવા મુશ્કેલ છે, ક્રોધ ઓછો ક૨વો મુશ્કેલ છે, જીતવાની વાત તો જવા ઘો, ઘટાડો કરવો પણ મુશ્કેલ છે, તો તેઓ કેવી રીતે આ ક્રોધ અને અહંકારથી મુક્ત બન્યા હશે ? માયા અને લોભથી, રાગ-દ્વેષથી મુક્ત કેવી રીતે બન્યા હશે ? આવા વીતરાગ પુરુષને જાણવાની ઝંખના જેના અંતરમાં જાગી તે મુમુક્ષુ. ‘વીતરાગ’ માટે જૈન પરંપરાનો બીજો શબ્દ છે જિન. ‘વીતરાગ’ એ હિંદુ અને બુદ્ધ પરંપરાનો પણ શબ્દ છે. ભગવદ્ ગીતાનો પણ શબ્દ છે. જેણે હંમેશ માટે, કાયમ માટે રાગદ્વેષ જીતી લીધા છે તેને કહેવાય છે જિન. જિન કહો, વીતરાગ કહો કે અરિહંત કહો. એ બધા પર્યાયવાચી શબ્દો છે. એ જિનનું સ્વરૂપ સમજવું પડશે, વીતરાગનું સ્વરૂપ સમજવું પડશે, કોણ કરાવશે આ ઓળખાણ ? આ વીતરાગ પુરુષ છે અને વીતરાગ આવા હોય તે કોણ ઓળખાણ કરાવશે. આ ધરતી ઉપર વીતરાગ પુરુષને ઓળખાવવાનું કામ એક જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy