SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૫ પુલમાં નિરાંતે તરી શકાય. એનો અર્થ એવો નથી કે દરિયાનું કે નર્મદાનું મહત્ત્વ ઓછું છે. નર્મદામાં અને દરિયામાં જતાં પહેલાં એક જ ઉપાય છે અને તે છે સ્વીમીંગપુલમાં તરવામાં નિપુણતા પ્રાપ્ત કરવી. સદ્ગુરુ સ્વીમીંગ પુલ જેવા છે. શાસ્ત્રોમાં આજ્ઞાઓ છે. ‘સાચુ બોલો, સરળ બનો. આ ન ખાશો, આવો વ્યવહાર ન કરશો, આવું જીવન જીવજો', તે બરાબર છે. તેનાથી તમે અધિકારી થઈ શકશો, પણ ભીતરની વાત જો જાણવી હોય તો જીવંત જ્ઞાની પુરુષો પાસે જવું પડશે. શાસ્ત્રો જીવને અધિકારી બનાવે છે, યોગ્ય બનાવે છે, પણ એટલું પૂરતું નથી. હકીકતમાં અંદર ડૂબકી મારવી તે મહત્ત્વનું કામ છે, અને એ ડૂબકી મારતી વખતે જો તીર્થંકરદેવ હાજર હોય તો આનંદની વાત. પૂર્વના જ્ઞાની પુરુષ હાજર હોય તો આનંદની વાત, પણ જો તેઓ હાજર નથી તો વર્તમાનમાં જે સદ્ગુરુ હાજર છે તેનો સહારો લઈ ડૂબકી મારો. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર, એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. એવો લક્ષ ન થાય ત્યાં સુધી આત્મવિચાર નહિ થાય. એવું લક્ષ કરાવવું છે. ભક્તિ ઓછી કરાવવી નથી. શાસ્ત્રોનું અપમાન કરવું નથી. તમે રસ્તામાં ચાલ્યા જાઓ છો. આકાશમાં પતંગ ચગેલો છે. તેને જોતાં જોતાં તમે ચાલો છો, સામેથી સ્કૂટર આવી રહ્યું છે. તે વખતે પાસે ઊભેલા કહેશે કે એય ! જરા જો તો ખરો, સ્કૂટર ફૂલવેગથી આવી રહ્યું છે. તુરત જ તેણે તમારું ધ્યાન છોડાવ્યું, શેમાંથી ? પતંગમાંથી, અને ધ્યાન ક્યાં દોર્યું ? રસ્તા ઉપ૨, સ્કૂટર સામે, તેમ સદ્ગુરુ બધેથી ધ્યાન ખસેડીને, તમારા પોતાના ઉપર ધ્યાન દોરવાનું કામ કરે છે. તેઓ બહુ મોટું કામ કરે છે. તમારો હાથ પકડી તમારા ઘરમાં લઈ જાય છે, અને કહે છે કે આ તમારું ઘ૨. શાસ્ત્રો વાંચ્યા પછી માણસને એમ થઈ જાય છે કે અમે બધું જ જાણીએ છીએ. તમે કોઈપણ વાત કરો તો કહેશે કે અમે સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, આત્મસિદ્ધિ શાસ્ત્ર બધું જ વાંચ્યું છે, પરંતુ તેને લક્ષ સ્પષ્ટ થયું નથી. લક્ષ સ્પષ્ટ થવા માટે, માર્ગ જાણવા માટે અને આત્મભ્રાંતિ દૂર કરવા માટે જે જીવંત સદ્ગુરુ છે, તેની અનિવાર્ય આવશ્યકતા છે, પણ સદ્ગુરુ મળે તે વખતે તેનું ધ્યાન ભૂતકાળ તરફ હોય છે. વર્તમાનકાળમાં આપણે આવતાં નથી અને ભૂતકાળને ગાયા કરીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે અમારું ઘર ખાનદાન હતું. જે આવતાં હતાં તેમને અમે જમાડતાં હતાં અને ઘી દૂધની છોળો ઊડતી હતી. તેને પૂછીએ કે આજની શું હાલત છે ? તો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy