SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ અજવાળે પાછળના બધા ચાલે, પણ ધીમે ધીમે મશાલચીઓ ટેવાઈ ગયાં. તેઓ તો નીચે જોઈને ચાલ્યા કરે, ઉપર જુએ જ નહિ કે મશાલ ઓલવાઈ ગઈ છે, એટલે પોતે પણ અંધારામાં અને પાછળ આવનારાં પણ અંધારામાં. કોઈકે વાત કરી કે મશાલ ઓલવાઈ ગઈ છે, તો તેઓ કહે કે તારી ઓલવાઈ ગઈ હશે, મારી ઓલવાઈ નથી. એટલે મશાલ પ્રકાશ આપવાના બદલે માથા ફોડવાના ડંડાના કામમાં આવી. મત, માન્યતા, અભિનિવેશ એ ડંડા છે, પણ મશાલ નથી. ધર્મ એ મશાલ છે, માટે એમ કહ્યું કે આત્મવિચાર એ કલ્યાણનું સાધન છે. શાસ્ત્રનો અને મતનો અભિનિવેશ, પોતે જે માને છે તે સાચું છે એવો અભિનિવેશ આ બધી ભ્રમણાઓને ભાંગીને ભૂક્કો કરવાની તાકાત જીવતા સદ્ગમાં છે. પછી એ ભ્રમણાઓ નહિ રહે. તેઓ તીર્થકરોને, જિનેશ્વર પરમાત્માઓને ઓળખાવશે. શાસ્ત્રોમાં કહેલા શબ્દોને તથા તેના મર્મને સમજાવશે અને જીવનમાં કયા પ્રકારની સાધના કરવી એ પણ તમને સમજાવશે. ક્યાં તીર્થકર અને ક્યાં સદ્ગુરુ? સદ્ગુરુ તો બહુ નાના છે. નાનો પણ રાઈનો દાણો. નાનો પણ તણખો, નાનું પણ બીજ, એમાં બધું સમાયેલું છે. વ્યવહારમાં એમ કહે છે ને કે આ જેવા તેવા બાપનો દીકરો નથી, આ તો રાણા પ્રતાપનો દીકરો છે. તેમ સદ્ગુરુ એ તીર્થંકરદેવના લઘુનંદન છે, તેઓ ઓળખાવશે કે જુઓ, આ તીર્થંકર દેવ આવાં છે, અને શાસ્ત્રો આવાં છે. સર્વજ્ઞને પણ સમ્યગૃષ્ટિથી ઓળખો તો જીવન સફળ છે. એક બહુ મહત્ત્વની ગાથા પરમકૃપાળુ દેવે કરી છે. જિન પ્રવચન દૂર ગમ્યતા, થાકે અતિ મતિમાન, અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખદાય. દૂરગમ્યતા એટલે પ્રવેશ ન થઈ શકે તેવાં શાસ્ત્રો. સિદ્ધાંતોને સમજવા અમારી પાસે તીવ્રતમ બુદ્ધિમત્તા છે, એમ આપણે માનીએ છીએ પરંતુ પરમકૃપાળુ દેવ કહે છે, “થાકે અતિ મતિમાન.” અતિ મતિમાન, અતિ બુદ્ધિમાન જે હતાં એ પણ થાક્યા. તમારી બુદ્ધિ કેટલી? જેની પાસે પરમ બુદ્ધિનો વૈભવ હતો, તેઓ પણ થાક્યાં. આવી અવસ્થામાં આ પરમાર્થને, પરમ માર્ગને જો જાણવો હોય તો આખરે અમારે કોના શરણે જવું ?' તો અવલંબન શ્રી સદ્ગુરુ', સદ્ગુરુ એ સુગમ અવલંબન છે. દરિયામાં તરવું મુશ્કેલ છે. ધસમસતા વેગે વહેતી નર્મદા નદીમાં તરવું મુશ્કેલ છે. પણ સ્વીમીંગ પુલમાં તરવું જોખમ વગરનું અને સરળ છે. તીર્થંકરદેવ તો મોટો દરિયો છે. અને જ્ઞાની પુરુષો ધસમસતા વેગે વહેતી નર્મદા જેવા છે. કેવી રીતે તરી શકશો? ક્યાંથી પાર પામી શકશો? સ્વીમીંગ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy