SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૪૩ શ્રદ્ધા પ્રગટ નહિ થાય, માર્ગની ઉપાસના નિશ્ચિત નહિ થાય. સદગુરુ દૂર ન કરે ત્યાં સુધી, મનની સમસ્યાઓ અને મનની ભ્રાંતિઓ દૂર નહિ થાય. ધર્મપ્રાપ્તિનું કારણ સદ્દવિચાર છે. ધર્મનો પ્રારંભ કર્મકાંડ કે ક્રિયાથી નહિ થાય, સવિચારથી થશે, આત્મ વિચારથી થશે. સદ્ગુરુ પ્રાપ્ત ન થાય તો એવો આત્મવિચાર યથાર્થપણે ઉદ્ભવતો નથી. માટે પ્રત્યક્ષ સગુરુનો ઉપકાર સમજાવવા માટે પરમકૃપાળુ દેવે કહ્યું કે ભાઈ ! તું તારું લક્ષ થોડું હટાવી દે. જ્ઞાનીપુરુષો, તીર્થકરો, જિનેશ્વરો સાચા; શાસ્ત્રો પણ સાચાં અને ભૂતકાળમાં થઈ ગયેલાં તીર્થકર દેવોનો ઉપકાર પણ શ્રેષ્ઠ, પરંતુ વર્તમાન બોધમાં અને સમ્યકત્વમાં કારણભૂત સદ્દગુરુ તરફ દુર્લક્ષ જો થશે તો માર્ગને તું પામી નહિ શકે. તટસ્થપણે વાતનો વિચાર કરજો. શાસ્ત્રમાં એક શબ્દ છે “શાસ્ત્ર અભિનિવેશ'. આ બહુ મહત્ત્વનો શબ્દ છે. શાસ્ત્રના પોતે જે અર્થ કરે છે તે અર્થ જ સાચા છે એવું જે માનવું તેને કહેવાય છે અભિનિવેશ. એ અભિનિવેશ દૂર કરવાનું કામ શાસ્ત્ર નહિ કરી શકે. જીવંત જ્ઞાની પુરુષ જ કહી શકશે કે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું નથી, પણ આ પ્રમાણે કહ્યું છે. શાસ્ત્ર આ નહિ બોલે. મોટી મુશ્કેલી એ છે કે જેટલાં વાતો કરે છે તે શાસ્ત્રનાં નામે જ કરે છે. અમે જે કહીએ છીએ તે શાસ્ત્રમાં કહ્યું છે, તેમ શાસ્ત્રને આગળ કરે છે અને વચ્ચે પોતે ઊભા રહે છે. આગળ શાસ્ત્ર અને પાછળ પોતે. મતમત ભેદ રે જો જઈ પૂછીયે રે, સૌ સ્થાપે અહમેવ, અભિનંદન જિન!દરિશણ તરસીએ.(આનંદઘનજી) ધર્મના નામે આટલા વાડા અને કદાગ્રહ ન હોય, ધર્મના નામે આટલી લડાઈઓ પણ ન હોય, આ ધરતી પર સૌથી વધારે યુદ્ધો થયા, તે ધર્મના નામે થયા. સ્ત્રી ખાતર, રાજ્ય ખાતર, ધરતી ખાતર યુદ્ધો થયા હશે, પણ સૌથી વધારે યુદ્ધો ધર્મના ખાતર થયા છે, પણ ખરેખર તો આ ધર્મને નામે નહિ, પણ પોતાની માન્યતાઓ અને સંપ્રદાયના કારણે થયા છે. ધર્મ તો બધાથી પર છે, મુક્ત છે. સંપ્રદાય ચોકઠું છે. ધર્મ અંદરનો ફોટો છે. ડહાપણ તો એને કહેવાય કે જેવો ફોટો હોય તે પ્રમાણે ફ્રેમ કાપવી જોઈએ. આજે જેમ ફેમ છે તેમ ફોટાને કાપે છે. આ ફોટો કાપતાં કાપતાં ફોટો જ રહ્યો નહિ. આજે આવી હાલત થઈ છે. પહેલાંના કાળમાં બળદગાડી કે ઊંટ ગાડીમાં જાન જતી હોય ત્યારે રક્ષણ કરવા માટે મશાલચીઓ સાથે રાખતાં હતાં. તેમની પાસે તેલનો ડબ્બો હોય અને હાથમાં મશાલ હોય. તેઓ થોડી થોડી વારે તેલ રેડ્યા કરે જેથી મશાલ ચાલુ રહે અને તેના અજવાળે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy