SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ XVI ભૂમિકા શ્રી સાંતાક્રુઝ – પાર્લા - અંધેરી શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ, પરમ કૃપાળુ દેવનો બોધ મુમુક્ષુઓને વિશેષ અને વિશેષ ઉપલબ્ધ થાય, તેના ઊંડા ભાવ અને રહસ્યો સમજાય તે માટે છેલ્લા ૨૭ વર્ષોથી સતત કાર્યરત છે અને સંતોના, ભાષ્યકારોનાં, વિદ્વાનોનાં સત્સંગ-સ્વાધ્યાયનું અવિરતપણે આયોજન કરે છે. પરમકૃપાળુ દેવની અદ્ભુત અને અવનિ પરનાં અમૃત સમાન કૃતિ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સર્વ આગમો અને શાસ્ત્રોનો નિચોડરૂપ સાર કૃપાળુદેવે આશ્ચર્યજનક રીતે ૧૪૨ ગાથાઓમાં સમાવી દીધો છે. ઘણાં વર્ષોથી સર્વે મુમુક્ષુઓની ઊંડી અભિલાષા હતી કે દરેક ગાથાનું ઘુંટન કરી કરીને તેના રહસ્યોનાં ચમકારા, અમૃતનું પાન કોઈ જ્ઞાનીના ચરણોમાં બેસીને કરીએ, પરંતુ આ ભગીરથ કાર્યનો યોગ સાંપડતો ન હતો. પરંતુ સૌ મુમુક્ષુઓનાં પુણ્યબળે તે સુવર્ણયોગ આવી ગયો, શ્રી જગદીશભાઈ વોરા સાથે મંડળના સૌ કાર્યકરોએ પ.પૂ. ભાનવિજયજી મહારાજસાહેબને વિનંતી કરી અને પૂજ્ય સાહેબશ્રીએ સંમતિ આપતા આ “આત્મસિદ્ધિશાસ્ત્રનાં મહાપારાયણ નો તા. ૧૮-૧૦-૨૦૦૫ નાં શુભદિને પ્રારંભ થયો. વર્ષથી અધિક ચાલેલા આ જ્ઞાનયજ્ઞમાં પૂજ્યશ્રી સાગોડીયાથી સાંતાક્રુઝ ૧૯ વખત પધાર્યા અને કુલ ૧૧૮ સ્વાધ્યાયોમાં જીજ્ઞાસુઓ અને મુમુક્ષુઓ સમક્ષ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનાં ગૂઢ અને સૂક્ષ્મ રહસ્યોને તેઓશ્રીની સરળ અને સહજ અમૃત વાણીમાં ઉજાગર કરી રસપાન કરાવતા રહ્યા. દરેક સ્વાધ્યાય પછી મુમુક્ષુઓ ધન્યતા અનુભવતા અને આગળનાં સ્વાધ્યાયની ચાતક પક્ષીની જેમ રાહ જોતા હતા. કોઈ સમય પૂજ્યશ્રીની શારીરિક અસ્વસ્થતા હોય તો પણ તકલીફ ઉઠાવીને પ્રવાસ કરતા અને સ્વાધ્યાય આપી મુમુક્ષુઓની જીજ્ઞાસા સંતોષતા. આત્મસિદ્ધિશાસ્ત્ર દ્વારા પરમકૃપાળુ દેવે પ્રબોધેલો વીતરાગ માર્ગ અને માર્ગનું રહસ્ય, પૂજ્યશ્રીએ એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy