SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ XVII એક ગાથાનું દોહન, વિશેષ અર્થઘટન, સૂક્ષ્મ રહસ્યો પ્રગટ કરી મુમુક્ષુઓ પ્રત્યે વહાવેલ કરુણા માટે મંડળ સદાય તેઓશ્રીનું ઋણી રહેશે. આ ભગીરથ મહાપારાયણની પૂર્ણાહુતિ અત્યંત ઉલ્લાસપૂર્વક અનેક સંતો, મહાનુભવોનાં સાનિધ્યમાં થઈ. આજીવાસન હૉલમાં વિશિષ્ટ રીતે નવપદજીનાં વધામણાં (પૂજન) શ્રી દિપકભાઈ બારડોલીવાળા એ તા. ૧૭/૧/૨૦૦૯ ના રોજ કરાવેલ અને અંતિમ સ્વાધ્યાય યોગી સભાગૃહમાં તા. ૧૮/૧/૨૦૦૯ ના રોજ થયો, જેનો લાભ શ્રી દિલીપભાઈ શાહ (પી.ડી. કન્સ્ટ્રક્શન) લીધેલ. આ ભગીરથ મહાપારાયણ દરમ્યાન શ્રી જગદીશભાઈ તથા સૌ. હેમાબહેને આપેલ સેવા બદલ મંડળ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત મંડળના સર્વે કાર્યકરો, સ્વયંસેવકોએ આપેલ સેવા બદલ મંડળ વતી તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનાં મહાપારાયણ દરમ્યાન પ.પૂ. સાહેબશ્રીએ વહેવડાવેલ અમૃતવાણી, શબ્દશઃ પુસ્તકરૂપે ગ્રંથસ્થ થાય છે તે જાણી અત્યંત આનંદ થાય છે. સર્વે મુમુક્ષુઓ આ ગ્રંથ દ્વારા “આત્મસિદ્ધિશાસ્ત્રનું અમૃતપાન કરી શકશે. સર્વમંગલમ્ આશ્રમ દ્વારા આ ગ્રંથના પ્રકાશન બદલ મંડળ વતી હું અત્યંત હર્ષ વ્યક્ત કરું છું. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (શ્રી સાંતાક્રુઝ - પાર્લા- અંધેરી) વતી, મહેન્દ્રભાઈ દોશી (બાપુ) નાં જય પ્રભુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy