SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૫ તે સીધો તેરમે ગુણસ્થાનકે પહોંચે. બીજી અવસ્થાવાળો મુમુક્ષુ મહાત્માને ઝંખે છે, સત્પુરુષને ઝંખે છે. પરમકૃપાળુ દેવ વારંવાર કહેતાં હતાં કે અમને એ વન યાદ આવે છે, એ ભૂમિ યાદ આવે છે, એ વૃક્ષો યાદ આવે છે, જ્યાં બેસીને અમે સત્સંગ કરતાં હતાં, સત્પુરુષ પાસે બેઠા હોઈએ એ પ્રસંગ અમને યાદ આવે છે. મુમુક્ષુતા તે અંદરની વેદના છે. તે અંતરની ઘટના છે અને એવી મુમુક્ષુતા જ્યારે અંદરમાં પ્રગટ થાય છે ત્યારે પોતાના જીવનમાં સદ્ગુરુની અનિવાર્યતા લાગે છે. અનંતકાળમાં સદ્ગુરુની જરૂર નથી પડી પણ જ્યારે મુમુક્ષુતા પ્રગટશે, ત્યારે તમે સદ્ગુરુ વગર જીવી નહીં શકો. અંદર વેદના જાગશે, વ્યથા જાગશે, તરફડશો, તાપ લાગશે, વિરહ લાગશે અને તમે શોધશો, તમારી આંખ ઢૂંઢશે સદ્ગુરુને. મુમુક્ષુને અંદરમાં વેદના જાગી છે, અને બહારમાં આ પાંચ લક્ષણોથી યુક્ત સદ્ગુરુ મળે તો કામ થઈ જાય. મુમુક્ષુ એમ નહીં પૂછે કે સદ્ગુરુની શી જરૂર છે. આપણે પૂછીશું. કારણ આપણને ભૂખ લાગી નથી. ભૂખ ન જોવે ઠંડા ભાત, તરસ ન જોવે ધોબી ઘાટ, નિંદ ન જોવે તૂટી ખાટ, પ્રેમ ન જોવે જાત કજાત. વૈશાખ મહિનો હોય, તરસ લાગી હોય, અંદરથી પાણી પાણી થતું હોય અને કંઠ સુકાતો હોય, ચારે બાજુ નજર નાખતો હોય અને પાણી દેખાતું ન હોય પણ ધોબી કપડાં ધોતા હોય અને પાણી પીવા જાય અને કોઈ કહે કે ‘અલ્યા આ તો ધોબી ઘાટ છે.’ ‘ભલે રહ્યો. અમને સખત તરસ લાગી છે. જીવવા માટે હું પાણી તો પીશ જ?’ ભૂખ્યા માણસને એમ કહો કે ‘સવારના ઠંડા ભાત છે', તો પણ કહેશે, ‘લાવોને, કકડીને ભૂખ લાગી છે.’ મુમુક્ષુતા જ્યારે પ્રગટ થાય છે ત્યારે સદ્ગુરુ વગર તે જીવી શકતો નથી. આવી અવસ્થા જેનામાં પ્રગટ થઈ છે તે છે મુમુક્ષુ અને આવા મુમુક્ષુ માટે પરમકૃપાળુ દેવે દશમી ગાથા કહી, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ઈજીપ્તમાં એક કહેવત છે કે આ ધરતી ઉપર જ્યારે શિષ્ય જન્મે છે ત્યારે સદ્ગુરુ પણ જન્મ લે છે. ગુરુ-શિષ્ય સાથે જ આવે છે. કંઈ શોધવા જવાની જરૂર નથી. અંદર મુમુક્ષુતા જોઈએ. તો આપણે શું કરવું ? મુમુક્ષુતા પ્રગટ કરવી. આ મુમુક્ષુતા પ્રગટ થશે તો સદ્ગુરુ સામેથી આવીને મળશે અને આપણા જીવનમાં બધા પ્રશ્નો શાંત થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy