SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ પૂછશો નહિ કે તું ઠંડીમાં સૂઈને બાળકને ઓઢાડે છે, તું ભીનામાં સૂવે છે અને બાળકને સૂકામાં સૂવડાવે છે, તું ભૂખી રહીને પણ બાળકને ખવડાવે છે, તું આમ કેમ કરે છે ? તો કહેશે ‘હું મા છું’ માતૃત્વ સ્વાભાવિક છે. એક આઠેક વર્ષની નાની બેબી પોતાના નાનાભાઈને ઝોળીમાં નાખી ડુંગર ઉપર ચઢતી હતી. ચઢાણ જોઈ કોઈ ડાહ્યા માણસે સહજતાથી પૂછ્યું, ‘બેટા ! તને ભાર નથી લાગતો ?’ તે આંખો કાઢીને બોલી ‘‘શું બોલ્યા ? આ તો મારો ભાઈલો છે. ભાઈલાનો ભાર કેવો ?’' આ બધું જેમ સ્વાભાવિક છે તેમ મુમુક્ષુતા જ્યારે પ્રગટ થાય ત્યારે સદગુરુ માટેની ઝંખના પણ સ્વાભાવિક છે. મુમુક્ષુતા જ્યાં સુધી પ્રગટી નથી ત્યાં સુધી જીવને ચાળા થાય છે, તે ચર્ચામાં પડે છે. જ્યારે મુમુક્ષુતા જાગે છે ત્યારે અંદરમાં ઝંખના જાગે છે, સદ્ગુરુ, સદ્ગુરુ, સદ્ગુરુ. ક્યારે મળશે ? ક્યારે મળશે ? વિરહ થાય છે. વ્યથા થાય છે. રડે છે. આંખમાં આંસુ આવે છે. એને પીડા થાય છે. એ જીવી શકતો નથી. એ રહી શકતો નથી. એ અંદર વિરહની વેદના અનુભવે છે. આનંદધનજીએ કહ્યું છે : આનંદઘન પ્રભુ વૈદ્ય વિયોગે કેમ જીવે મધુમેહી ! મધુમેહી અર્થાત્ ડાયાબિટીસનો દર્દી ડૉક્ટર વગર કઈ રીતે જીવશે ? દવા વગર, ઈન્સ્યુલીન વગર નહિ જીવી શકે, એમ મુમુક્ષુ સદ્ગુરુ વગર જીવી ન શકે. મુમુક્ષુતા સુધી શાસ્ત્રો અને ઉપદેશકો લાવી શકશે પણ મુમુક્ષુતા પછી નિજયાત્રા છે, તે સદ્ગુરુ વગર નહિ થાય. શાસ્ત્રો એમ કહે છે કે સદ્ગુરુ પાસે તમે શું લેવા જાઓ છો અને શું મેળવવું છે તે તમે સ્પષ્ટ કર્યું ? એમની પાસે કંઈ નથી, એ ખાલીખમ છે. તેમની પાસે ધન નથી, સત્તા નથી, બળ નથી, રૂપ નથી, સામર્થ્ય કે શક્તિ નથી. ડૉક્ટર પાસે કેમ જઈએ છીએ ? વકીલ પાસે અને આર્કિટેકટ પાસે કેમ જઈએ છીએ ? રાજકારણી પાસે કેમ જઈએ છીએ તે ખબર છે. સદ્ગુરુ પાસે કેમ જઈએ છીએ તે ખબર છે ? હા, સદ્ગુરુ પાસે એટલા માટે જઈએ છીએ કે અંદરથી બોધ પ્રાપ્ત કરવો છે. આત્મબોધ વગર-આત્મજ્ઞાન વગર જીવાય નહિ. એવી અવસ્થા અને એવી વેદના જેને અંદ૨માં જાગી છે તે તરફડ્યા છે. માછલી જેમ જળ વિના તરફડે છે તેમ તે સદ્ગુરુ વગર તરફડે છે. એ રડ્યા છે સદ્ગુરુ વગર. ક્યારે મળશે અમને સદ્ગુરુ ? ‘ક્યારે મને મળશે મનમેલું ?’ આનંદધનજીએ કહ્યું છે કે મનનો મેળ જેની સાથે છે તે મને ક્યારે મળશે ? સાધકના જીવનની ચાર અવસ્થા હોય છે. મુમુક્ષુતા પહેલાની જીવનની એક અવસ્થા, મુમુક્ષુતા પછીની જીવનની બીજી અવસ્થા. આત્મબોધ થયા પછી જીવનની ત્રીજી અવસ્થા અને આત્મબોધ થયા પછી સાતમા ગુણસ્થાનક પછી શ્રપક શ્રેણી મંડાય એ ચોથી અવસ્થા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy