SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૩૧ હોય તેને કહેવાય છે સદ્ગુરુ. આત્મજ્ઞાન અને સમદર્શિતા આ બે લક્ષણોમાં બધા લક્ષણો સમાઈ જાય છે. જેને આત્માનો બોધ છે, જેની આત્મામાં સ્થિતિ છે, જે પરભાવની ઈચ્છાથી રહિત છે અને જેને આ પ્રકારની સમતા પ્રાપ્ત થઈ છે, તેઓ જીવન તો જીવે છે, શરીરમાં છે, વ્યવહાર પણ છે, પ્રવૃત્તિ વચ્ચે ઊભા છે, એમની જુદી જુદી બાહ્ય અવસ્થાઓ પણ હોઈ શકે અને કઈ અવસ્થામાં ઊભા છે તે કહી શકાય નહીં. તે બધા વચ્ચે ઊભા છે અને કર્તવ્ય કર્મ કરે છે અને કરતા હોવા છતાં પોતે કશું કરતા નથી, તેવી અલૌકિક દશા છે. આપણે નથી કરતાં તો યે ઘણું કરીએ છીએ, આ ઘણું કરે છે તો પણ કશું કરતાં નથી. અખાએ કહ્યું છે : કર્તા મીટે તો મીટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. કર્મ ટાળી નહિ શકાય. કર્મ તો રહેશે, પણ કર્તાપણું ટાળી શકાય છે. કર્તાપણું મટે તો કર્મબંધન મટી જાય છે. કર્મને ટાળવાની વાત નહિ પણ કર્તાપણું ટાળવાની વાત છે. આપણે તો કર્મ ટાળવાની કોશિશ કરીએ છીએ અને કર્તાને તો ઊભો જ રાખીએ છીએ. ઘણા કહે છે કે ‘સાહેબ ! આ તમારા દિકરાના લગ્ન થયા, અમે ન હોત તો ખબર પડત. ધોળે દિવસે તમને તારા દેખાયા હોત. અમે હતા એટલે થયું ? ‘‘અમે કર્યું’’ એવો પ્રગાઢ કર્તાપણાનો રસ છે, માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે જગતમાં બધા રસ કરતાં અત્યંત મીઠો રસ તે કર્તાપણાનો રસ છે. એક ચિત્રકારે મૃત્યુથી બચવા સરસ ઉપાય ખોળી કાઢ્યો. તેણે પોતાના જેવા એક સરખાં દસ સ્ટેચ્યુ બનાવ્યા, કારણ કે મૃત્યુદેવ જ્યારે લેવા આવશે ત્યારે તેમને એક સરખા સ્ટેચ્યુ જોઈ ગુંચવણ થઈ જશે કે આમાંથી સાચો કોણ ? કોને લઈ જવો ? અને મૃત્યુ આવ્યું. યમરાજા સાચે જ ગુંચવણમાં પડી ગયા કે આમાંથી કોને લઈ જવો ? એ ગયા ચિત્રગુપ્ત પાસે અને કેસ નોંધાવ્યો કે આવી હાલત છે. મૃત્યુલોકમાં ખબર નથી પડતી કે આમાંથી કોને લાવવો ? ચિત્રગુપ્તે સરસ ઉપાય બતાવ્યો. તમે ત્યાં જાવ. બીજું કંઈ કરવાની જરૂર નથી. માત્ર એટલું જ કહેજો કે આવા સુંદર સ્ટેચ્યુ કોણે બનાવ્યાં હશે ? જે એમ કહે કે મેં બનાવ્યાં, બસ એને પકડી લાવવો. મૃત્યુદેવ તો સ્ટેચ્યુ પાસે આવ્યા અને સ્ટેચ્યુના વખાણ કર્યાં. શું સ્ટેચ્યુ છે ? કોણે બનાવ્યા હશે ? આની બરાબરી થઈ શકે એમ નથી. આ સાંભળતા ચિત્રકાર રહી શક્યો નહીં. બોલ્યો કે ‘‘સાહેબ, આ મેં બનાવ્યા છે.’’ ચિત્રકાર પકડાઈ ગયો. આ કર્તાપણાનો ભાવ. જ્ઞાનીપુરુષ વિરાટ કામ કરતા હોવા છતાં તેમનામાં કર્તાપણાની બુદ્ધિ નથી. કરવું એક વાત છે અને કર્તાપણાની બુદ્ધિ બીજી વાત છે. જેમની બુદ્ધિમાંથી કર્તાપણું નીકળી ગયું છે, તેઓને પૂર્વના કર્મના ઉદયને લીધે વિચરવા આદિની ક્રિયા નિરંતર થાય છે. એવી અવસ્થા તેને “વિચરે ઉદય પ્રયોગ’’ કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy