SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩) પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ આ બધી ઉપલી અવસ્થા છે, ઉપાધિજનિત અવસ્થા છે. અંદરમાં ચૈતન્ય તો એકસરખું છે, આવો જ બોધ તેને કહેવાય છે શમ. આ વસ્તુને સ્પષ્ટ કરનારી બહુ મઝાની નાનકડી કડી પરમકૃપાળુ દેવની છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો. રજકણ-માટીનું કે ધૂળનું કણ એક બાજુ અને વૈમાનિક દેવની રિદ્ધિ બીજી બાજુ, બંનેની તુલના થઈ શકે તેમ નથી. શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે દેવલોકમાં સામાન્ય દેવ પગમાં જે મોજડી પહેરે છે એવી મોજડી આ મૃત્યુલોકમાં લાવવામાં આવે અને આ ઝવેરી બજારમાં વેચવા મૂકવામાં આવે તો ડાહ્યા ઝવેરીઓ એની કિંમત આંતા એમ કહે કે છ ખંડના માલિક ચક્રવર્તીની બધી સંપત્તિ આપી દો તો પણ આ મોજડીની કિંમત થઈ શકે તેમ નથી. રજકણ એટલે એક ધૂળનું કણ હોય અને વૈમાનિક દેવની રિદ્ધિ હોય પરમકૃપાળુ દેવ કહે છે કે “સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો.” આ પુદ્ગલનો સ્વભાવ છે. જીવમાં વિષમભાવ નથી અને પુદ્ગલમાં પણ વિષમભાવ નથી. આ વિષમભાવ જીવમાં દેખાય છે તે કર્મની ઉપાધિના કારણે દેખાય છે. અંદરમાં જે પરમતત્ત્વ છે તે એક જ છે, જુદું જુદું નથી. આવું જે દેખાય છે, એને કહેવાય છે શમ. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, આ બન્ને પણ જેને એક સરખી દેખાય છે એને કહેવાય છે શમ. આવો સમભાવ, એ સદ્ગુરુનું બીજું લક્ષણ છે. શમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ નહોઈ, અવિનાશીકે ઘરકી બાતા, જાણે ગો નર સોહી, અવધૂનિરપક્ષ વિરલા હોઈ. આ સમરસી ભાવ એમના અંતરમાં છે. આ અભુત ભાવ છે. એને ભગવદ્ ગીતા સમતા કહે છે. જૈન પરંપરા ઉપશમ ભાવ કહે છે. કુંદકુંદાચાર્યજી એને સમરસી ભાવ કહે છે. આવો સમભાવ, ઉપશમભાવ કે સમતાભાવ સદ્ગુરુના જીવનમાં પ્રગટ થયો છે. શત્રુ હોય કે મિત્ર, હર્ષ હોય કે શોક, નમસ્કાર હોય કે તિરસ્કાર એ તમામ ભાવો પ્રત્યે જેમને અંદરમાં વિષમભાવ પ્રર્વતતો નથી એવી જેમની અંતરંગ અવસ્થા છે તેને કહેવાય સમદર્શીપણું. સમદર્શી હૈ નામ તુમ્હારા ચાહે તો પાર કરો. તમે સમદર્શી છો અને અમે તો જેવા છીએ તેવા જ છીએ, પણ તમે જો ચાહો તો અમને પાર કરી શકો તેમ છો. એ દોર તમારા હાથમાં છે. આવું સમદર્શીપણું જેમનામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy