SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૭ નિગ્રંથ છે. નિગ્રંથ એટલે સાધુ, મુનિ, યતિ. આનંદધનજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનની સમાપ્તિમાં એક વાત કરી છે કે : આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ આનંદધન મત સંગી રે. આ એટલા માટે આપણે જોઈએ છીએ કે પરમકૃપાળુ દેવે જે માર્મિક વાત કરી છે એનો બધેથી અણસાર, સંદેશ ને અભિપ્રાય મળે છે. આને સંગતિ કહેવાય. મહેફીલમાં પણ સંગીકારો તબલા, હારમોનિયમ, ઢોલક, સારંગી, દિલરૂબા, સિતાર વિગેરે વાદ્યોની સંગતિ મેળવે છે. આત્મજ્ઞાની શ્રમણ કહાવે', જેને આત્મજ્ઞાન થયું છે, એ શ્રમણ, એ જ સાધુ અને એ જ વિરક્ત. વસ્તુ જેમ છે તેમ છે. તમે જાણો છો કે માનો છો કે સ્વીકારો છો તેમ નહિ, પણ વસ્તુ પોતે જેમ છે તેમ, તે વસ્તુમાં જે વસ્તુત્વ રહ્યું છે તેમ એનું પ્રકાશન કરે છે, તે આત્મજ્ઞાની પુરુષ છે. આ મોટી ઘટના છે. આત્મજ્ઞાનમાં જે મગ્ન છે તેની અવસ્થા બદલાઈ જાય છે. “આત્મજ્ઞાનમેં મગ્ન જો, સો સબ પુદ્ગલ ખેલ ઈન્દ્રજાળ કરી લેખવે, મળે ન તિહાં મનમેળ.” આત્મજ્ઞાનીની આ અંતરંગ અવસ્થા છે. આત્મજ્ઞાનમાં, આત્માના અનુભવમાં જે મગ્ન બન્યો છે તે આમ તો હોય છે જગતમાં, હોય છે સંસારમાં અને હોય છે પુદ્ગલ વચ્ચે પણ તેને તો આ બધો પુદ્ગલનો ખેલ દેખાય છે. તેમાં આત્મજ્ઞાનીને વાસ્તવિક્તા લાગતી નથી. વેદાંતે આને માયા કહી, ભ્રમ કહ્યો. ચિદાનંદજીએ આને પુદ્ગલનો ખેલ કહ્યો. એ ઈન્દ્રજાળ છે. દેખાય છે ખરી પણ હોય નહિ. જાદુગરનો ખેલ જેમ દેખાય છે ખરો, પણ હકીકતે તેમ હોય નહિ. જેમ જાદુગરની બાજી વાસ્તવિક નથી તેમ પુદ્ગલનો આ ખેલ પણ વાસ્તવિક નથી અને એના કારણે “મળે ન તિહાં મનમેળ” ત્યાં મનનો મેળ મળતો નથી. સાથે રહે છે ખરા, સંબંધો છે ખરા, ઉપયોગ થાય છે પણ મન દઈને મળતો નથી. સંસારમાં કહીએ છીએ કે સાથે જીવીએ છીએ, રહીએ છીએ પણ તાલમેળ નથી, મનમેળ નથી. યશોવિજયજી મહારાજે પાંચમી સ્થિરાદષ્ટિમાં એક ઉદાહરણ આપ્યું છે કે, બાલધૂલી ઘર લીલા સરખી, ભવચેષ્ટા ઈહાં ભાસે. ચોમાસામાં વરસાદથી રેતી ભીની થઈ હોય, નાના બાળકો નદી કિનારે જઈ પોતાના પગને વચ્ચે રાખી તેના ઉપર રેતીનો ઢગલો કરે અને પછી નીચેથી ધીમે રહીને પોતાનો પગ કાઢી લે એટલે ઘર તૈયાર. પછી આ ઘરને મગનીયો અડે એટલે છગનીયો રડે કે મારા ઘરને તું કેમ અડ્યો? આ મારું ઘર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy