SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૬ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ પ્રવચન ક્રમાંક - ૧૨ ગાથા ક્રમાંક - ૧૦ સદ્ગના લક્ષણો છે. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. (૧૦) આ દશમી ગાથાનાં ૧. આત્મજ્ઞાન, ૨. સમદર્શિતા, ૩. વિચરે ઉદય પ્રયોગ, ૪. અપૂર્વ વાણી, ૫. પરમશ્રુત, આ પાંચ શબ્દો પુનઃ આપણે યાદ કરી જઈએ. જેમની સ્થિતિ આત્મજ્ઞાન વિશે છે તે આત્મજ્ઞાની. પ્રાપ્ત કરવા લાયક, મેળવવા લાયક આત્મા છે. એ આત્માનું જ્ઞાન જેમની પાસેથી મળે, એમણે આત્માને અનુભવેલો હોવો જાઈએ. જેમને આત્મ અનુભવ ન હોય તો તેમની પાસેથી આત્મજ્ઞાન મળે નહિ. ઝવેરી પાસેથી ઝવેરાત મળે, કંદોઈની દુકાનેથી ફાફડા અને ગાંઠિયા મળે. તેમ જેમની પાસે આત્માનુભવ છે તેમની પાસેથી જ આત્મજ્ઞાન મળશે. આત્માનો અનુભવ નહિ હોય તો આત્મજ્ઞાન નહિ મળે. ચિદાનંદજી મહારાજે એક ગાથા કહી છે : કેવલ આત્મબોધ હૈ, પરમારથ શિવપંથ, તામેં જીનકુમગનતા, સોહી ભાવનિગ્રંથ. કેવળ માત્ર આત્માનો બોધ એ જ મોક્ષનો ઉપાય છે, રસ્તો છે, અને જેની આવા આત્મામાં મગનતા, રમણતા અને સ્થિરતા છે, આત્મામાં જ તન્મયતા, તરૂપતા છે, જે આત્મામાં જ ડૂબેલો છે, આત્મામાં જ જે એકાકાર છે એવા આત્મજ્ઞાની તે સદ્ગુરુનું પહેલું લક્ષણ. એ જ વિચાર એ જ મનન, એ જ ચિંતન અને એ જ ભાવન, એ જ ધ્યાન, એ જ અનુભવ એ જ સ્મરણ અને એ જ સ્મૃતિ, એ જ માહોલ, એ જ રંગ, માત્ર એ એ અને એ જ. નિરંતર શુદ્ધતાનું ધ્યાન કરે, શુદ્ધતામાં કેલિ કરે. ધ્યાન પણ શુદ્ધતાનું ને આનંદ પણ શુદ્ધતામાં. કારણ કે તે આત્મામાં મગ્ન છે. “તમેં જીનકુ મગનતા' –એ આત્મામાં મગ્ન બન્યો છે, ડૂળ્યો છે, તરૂપ બન્યો છે, તન્મય થયો છે. “સોહી ભાવનિગ્રંથ એ જ ભાવ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy