SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ પણ એ ઘર તે ‘બાલ ધૂલી ઘર લીલા સરખી’, બાળક જેમ ધૂળના ઘરમાં ખેલ કરે છે, રમત ૨મે છે, તેમ જ્ઞાનીને ચક્રવર્તી રાજાની સંપત્તિ પણ બાળકના ધૂળના ઘરની રમત સમાન લાગે છે. આત્મજ્ઞાન થતાં અંદરમાં કેવી અવસ્થા થાય છે ? તેઓ પરભાવની ઇચ્છાથી રહિત થાય છે. બે શબ્દો સ્વભાવ અને પરભાવ. પોતાનો જે ભાવ, તેને કહેવાય છે સ્વભાવ અને પોતાનો નહિ પણ પરના, બહારના જે ભાવ, વિકારીભાવ તેને કહેવાય છે પરભાવ. તમામ અધ્યવસાયો, વિકારો, વાસનાઓ, તમામ રાગ-દ્વેષો, તમામ કષાયો તે પરભાવ વિભાવ છે. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે સહજ સ્વભાવ લખે નહિ અપનો, પડિયો મોહકે દાવ મેં, જીઉ લાગી રહ્યો પરભાવમેં. જીવ પરભાવમાં લાગ્યો છે, તેના કારણે પોતાનો સહજ સ્વભાવ લક્ષમાં લેતો નથી, જાણતો નથી. શાસ્ત્રો કહે છે, જ્ઞાનીઓ કહે છે, સંતો કહે છે, સાધુઓ કહે છે, સદ્ગુરુ કહે છે પણ પોતાનો સહજ સ્વભાવ તે લક્ષમાં લેતો નથી. તે ખરેખર મોહના દાવમાં પડ્યો છે, મોહના હાથનું રમકડું બન્યો છે. મોહના હાથનું રમકડું જે બન્યો તે સંસારી અને જે મોહના હાથનું રમકડું મઢ્યો તે સદ્ગુરુ. સદ્ગુરુને પુદ્ગલની, પરભાવની, જગતની વસ્તુઓની, સંયોગોની કે બનાવોની ઇચ્છા નથી, અનુકૂળતાની ઇચ્છા નથી, જગતના સુખોની ઇચ્છા નથી. અને ઇચ્છા જેની ગઈ તેનું બધું દુઃખ ગયું. દુઃખ અને ઇચ્છા બંને નજીકના સગા છે. આપણે દુઃખને દૂર કરવું છે પણ ઇચ્છાને ઊભી રાખવી છે. ઇચ્છા એમ કહે છે કે ‘‘દુઃખ મારો દીકરો છે અને મને બહુ વહાલો છે. એક મિનિટ પણ હું મારા દીકરાને મારાથી દૂર નહિ કરું. મને રાખવી હોય તો મારા દીકરાને પણ રાખવો પડશે. જો તમારે દુઃખ ન જોઈતું હોય તો દુઃખને કાઢવાની કોશિશ ન કરશો. એને કશું કહેશો નહિ. દુઃખને કાઢવું હોય તો મને જવા દ્યો. હું જ્યારે જઈશ ત્યારે મારા દીકરાને લઈને જઈશ. એને મૂકીને નહીં જઉં. ઇચ્છા હશે ત્યાં સુધીમાં દુઃખ છે. પરભાવની ઇચ્છા, રાગદ્વેષની ઇચ્છા, જગતના પદાર્થોની ઇચ્છામાં દુઃખ છે. અભિનંદન ભગવાનને દેવચંદ્રજી મહારાજ કહે છે કે, ‘પ્રભુ ! તમે જે અનુભવ કરો છો, તમે જે રસમાં ડૂબ્યા છો, તમે જે રસ માણો છો તેની રીત અમને કહો ને, અમારે એવો અનુભવ કરવો છે' અને ભગવાન એમ બોલ્યા કે ‘દેવચંદ્ર ! અમે જે રસ માણીએ છીએ, આનંદમાં રહીએ છીએ, અમે જે સમાધિમાં છીએ, અમારી શાંતિમાં છીએ તેનું કારણ અમે જડચલ જગની એંઠનો ભોગ છોડી દીધો છે.' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy