SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો, અહો અહો ઉપકાર. કંઈ એમ ન કહ્યું કે તમે શું કરવાના હતા? મારામાં હતું ને તે ખીલ્યું. શિષ્યનું પરમ સમર્પણ છે અને સદ્ગુરુની પરમ કરુણા છે. પરમ કરુણા અને પરમ સમર્પણની સંધિ, એનું લગ્ન, એનો મેળાપ એને કહેવાય શિષ્યત્વ, આ શિષ્યત્વની ઘટના છે. આ મારો ચેલો અને હું તેનો ગુરુ એમાં કંઈ વળે નહિ. સગુરુ અકર્તા છે તેઓ કાંઈ કરતા નથી. આ સગુરુનું લક્ષણ છે, એ સ્પષ્ટ કર્યું. કયા શબ્દોથી? વિચરે ઉદય પ્રયોગ', એ અકર્તા ભાવ સૂચવે છે. આ વર્તમાનકાળની વાત છે પણ ભૂતકાળમાં એમણે ભાવકરુણાની સાધના કરી છે. જગતનાં તમામ જીવો અજ્ઞાનમાંથી ને મોહમાંથી મુક્ત થાય, જગતનાં જીવો જન્મ મરણમાંથી મુક્ત થાય, આવી ચિંતા નથી આપણી માએ કરી કે નથી બાપે કરી, નથી પતિ કે પત્નીએ કરી, દીકરાએ કરી નથી. બિમારીની દવા કરી હશે પણ એવી ચિંતા નથી કરી કે જન્મ મરણમાંથી અને મોહમાંથી મુક્ત થાવ. અને ચિંતા કરે છે, તે ઓળખાણ પછી કરે છે, આ મારા પતિ છે, આ મારી પત્ની છે અને આ મારો દીકરો છે, અને આમાંથી કંઈ પણ ન હોય તો મારે શું લેવા દેવા? એમ કહે છે. જેની ઓળખાણ આપણને નથી, જે આપણને મળ્યા નથી, જેનો આપણને પરિચય નથી, આપણે જેઓને કશું જ આપ્યું નથી પણ તેમના હૃદયમાં આપણે હતા. આપણે તેમનાથી દૂર હોવા છતાં આપણા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો કે આ અજ્ઞાન અને મોહ, જન્મ તથા મરણમાંથી મુક્ત થાય, આને કહેવાય ભાવ કરુણા. આ ભૂતકાળની ભાવ કરુણા વર્તમાનકાળમાં અકર્તા હોવા છતાં પણ કાર્યકારી બને છે. એટલા માટે વર્ષો સુધી સદ્ગુરુ બોલ્યાં. એમને એમ નથી થયું કે અમે નહિ બોલીએ. ભગવાન બુદ્ધ પાસે નિર્વાણ આવ્યું છે અને ભગવાન બુદ્ધ વૃક્ષની પાછળ ગયા અને શિષ્યોને કહ્યું, હવે મને બોલાવશો નહિ. એટલામાં એક ખેડૂત દોડતો આવ્યો. ખેડૂતે આનંદને કહ્યું કે આનંદ મને ખબર તો હતી પણ ખેડવામાં પડ્યો હતો તેથી મોડો આવ્યો. તમે ભગવાનને કહો ને કે મને બે શબ્દો કહે. આનંદે કહ્યું કે હવે નહિ બને, ભગવાન બુદ્ધ કહ્યું કે “ના ન પાડશો. બે શબ્દો માટે આવ્યો છે ને? ભલે મને વિલંબ થાય પણ તેના કલ્યાણમાં વિલંબ ન થવો જોઈએ.” આવું જેમનું હૈયું તેને કહેવાય છે ભાવ કરુણાવાન. આવી ભાવ કરુણા જેમનામાં હોય અને છતાં અકર્તા હોય. સોળ વર્ષની ઉંમરે શ્રીમદ્જીએ ઉદ્ઘોષણા કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy