SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૩ બહારના ફેક્ટરમાં બનતી ઘટના છે. તો બે શબ્દો સ્પષ્ટ થયા? ઉપાદાન સ્પષ્ટ થયું ? ઉપાદાનમાં-અંદરમાં ઘટના ઘટશે. તમને બોધ પ્રાપ્ત થશે, લાભ તમને થશે, મોક્ષના દરવાજા તમારા માટે ઊઘડશે. મહારાષ્ટ્રમાં એક સંત હતા, તેમનું નામ ગાર્ગી મહારાજ. એમનો નિયમ હતો, જે ગામમાં સાંજના કથા કરે પછી રાત્રે બે વાગ્યા હોય તો પણ તે ગામમાંથી નીકળી જાય, કહે કે એ ગામનું પાણી પણ મારે પીવું નથી, કારણ કે પાણી પીધું હોય કોઈનું, તો તેમને સાચું કહેવાનું હોય તો આડું આવે. એક ન્યાયાધીશ ટ્રેઈનમાં જતા હતા અને ત્યાં જેનો કેસ ચાલતો હતો તે માણસ પણ હતો, એને ખબર પડી ગઈ, તે મારવાડનો હશે, તે જબરો હોય, લાખો રૂા.ની વાત હતી. ન્યાયાધીશ તેના પક્ષમાં જો ચુકાદો આપે તો લાખો રૂપિયા મળે. ન આપે તો લાખો રૂા. જાય. તેઓ બીજા સ્ટેશને ઊતર્યા, તે સાહેબ પાસે પહોંચ્યો. નમસ્કાર કર્યા, પછી પૂછ્યું ગુડ મોર્નીગ સર, શું લેશો તમે? ચા, કોફી, રબડી? ન્યાયધીશ વિચક્ષણ હતા. હાથ જોડીને કહ્યું, તમે કહ્યું એટલે ધન્યવાદ. મારે કંઈ લેવું નથી. બહુ વિનંતિ કરી પણ તેણે કહ્યું “ભાઈ! એટલા માટે હું લેતો નથી કે જ્યારે હું જજમેન્ટ આપવા બેસીશ તે વખતે તમારી રબડી કે ચા આડી આવશે, પાણી પણ નહિ.' આટલો નિરપેક્ષ ન્યાયાધીશ ! એના કરતાં અનેકગણા નિરપેક્ષ સદ્ગુરુ છે. ઓળખો, સદ્ગુરુ નિરપેક્ષ છે. કોઈ હાથ જોડે તેની પણ તેમને અપેક્ષા નથી. કારણ? કારણ એક જ, તેઓ સંપૂર્ણપણે પરમ કરુણાથી છલકતા છે. સદ્ગનું લક્ષણ એક જ “પરમ કરુણા''. આંખમાં કણા, વાણીમાં કરુણા, વ્યવહારમાં કરુણા. ત્રણ શબ્દો જોવાના બાકી રહેશે. યોગ અવંચક, ક્રિયા અવંચક, ફળ અવંચક. એના પહેલાં થોડી સ્પષ્ટતા કરી લઈએ. સદ્ગુરુ કંઈપણ કરતાં નથી પણ તેમની હાજરીમાં થાય છે. સૂર્ય કંઈ પણ કરતો નથી પણ તેની હાજરીમાં આખું જગત જાગી જાય છે. સાત વાગ્યા અને તમે ન ઊઠ્યા હો તો કંઈ સૂર્યનારાયણ નીચે આવે ને બારણું ખખડાવે ખરા? ના. એમની હાજરીમાં થાય. વરસાદ વરસે, ફૂલનું ખીલવું ન ખીલવું, બીજનું ખીલવું ન ખીલવું તેની મરજીની વાત છે. વરસાદ વરસે છે ને ધરતી ખીલે છે. ઘટના બોધની છે, તે આંતરિક ઘટના છે. યથાર્થ બોધ થાય છે, આત્મ બોધ થાય છે. અહીંથી મોક્ષના માંડવા નંખાય છે, શ્રી ગણેશાય નમ: અહીંથી ચાલુ થાય છે. એ કોની હાજરીમાં થાય છે? એ જેની હાજરીમાં થાય તેને કહેવાય છે સદ્દગુરુ. પણ સદ્ગુરુ જ હોવા જોઈએ. જેમનાથી નહિ પણ જેમના વગર પણ નહીં થાય. શિષ્યના પક્ષે પરમ સમર્પણ છે. શિષ્ય એમ કહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy