SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૨ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ ક્યાંથી? અંદર જ હતી. એને ઘૂંટવાથી પ્રગટ થઈ. અંદર હોવું તેનું નામ તિરોભાવ અને પ્રગટ થવું તેનું નામ આવિર્ભાવ. અંદરમાં જે છે તે પ્રગટ થાય, અંદરમાં હશે તે પ્રગટ થશે, સિદ્ધ અવસ્થા અંદર હતી. એ આપણી મિલકત છે. તમને કેમ વિશ્વાસ આવતો નથી? એ અંદર તિરોભૂત છે. માટીમાં ઘડો છે પણ તિરોભૂત, બીજમાં વૃક્ષ છે પણ તિરોભૂત, આત્મામાં પરમાત્મા છે પણ તિરોભૂત છે. તો આપણે શું કામ કરવું? એને આપણે ખીલવવાનું છે. એ ખીલે તેવું ખેતર એનું નામ સાધના. તમામ આધ્યાત્મિક ઘટનાઓ ઉપાદાન કારણ આત્મામાં ઘટે છે. દર્શન મોહનીય કર્મનો ઉપશમ જે વખતે થાય તેટલા ટાઈમ દરમ્યાન બહારમાં જે પરિબળ જોઈએ તેને કહેવાય છે નિમિત્ત. નિમિત્ત ઘટના ઘટે તેટલા પૂરતું જ, પછી તે નિમિત્ત તમારી સાથે આવતું નથી. આના ઉપરથી ખ્યાલ કરજો કે સદ્દગુરુ તમને પૂર્ણ સ્વતંત્રતા (Total Freedom) આપે છે. તમને બાંધી રાખવા માંગતા નથી. તમારું કામ થયું, જાવ, ધન્યવાદ ! લીલા લહેર કરો. સિદ્ધ બનો અને લીલા લહેર કરો. આટલી મોટી આત્મબોધની ઘટના એમની હાજરીમાં ઘટી, છતાં પણ તેમનામાં કર્તાભાવ નથી. તત્ત્વને સમજવા પૂરો પ્રયત્ન કરજો. આટલી મોટી ઘટના ઘટી તો પણ ‘ગુમસ્તે વસ્થા: ' તમારો પંથ મંગલમય બનો, એટલું જ કહે છે. ઘટના ઘટે છે ઉપાદાનમાં અને સામે અનિવાર્ય જેની હાજરી હોય અને જેની હાજરીમાં ઘટના ઘટે તેને કહેવાય છે નિમિત્ત. આત્મબોધની ઘટના જેમની હાજરીમાં ઘટે છે તેમના માટે ગુરુ શબ્દ ન વાપર્યો, અસલ્લુરુ શબ્દ ન વાપર્યો, કુગુરુ શબ્દ ન વાપર્યો, પરંપરા ગુરુ શબ્દ ન વાપર્યો, મતગુરુ શબ્દ કે અમારા બાપદાદાના ગુરુ શબ્દ ન વાપર્યો, પણ અદ્ભુત શબ્દ વાપર્યો છે, તે છે સદૂગુરુ. તેમની હાજરીમાં જ ઘટના ઘટે. આ ક્વૉલિટી મેન્ટેઈન કરવાની વાત છે. રસોઈ કરવી હોય તો અગ્નિ જોઈએ, લાકડા હોય કે કોલસા હોય કે ગેસ હોય. કોઈ પણ અગ્નિ જોઈએ. વાવવું હોય તો ખેતર જોઈએ જ. તમે એમ કહો કે અમારે ત્યાં ગ્રેનાઈટ પાથર્યો છે ને, કેમ ન ઉગે ? ન ઊગે, સાહેબ ! ગ્રેનાઈટ નહીં કામનો, ખેતર અથવા માટી જ જોઈએ. ત્રીજી વાત એ કે નિમિત્ત છે તે અવંચક જોઈએ. બે શબ્દો છે (૧) વંચક અને (૨) અવંચક. વંચક એટલે ઠગનાર, દેખાવ કરે પણ કામ ન કરે તે ઠગનાર અને અવંચક-નહિ ઠગનાર. સદ્દગુરુ એ અવંચક છે. હરિભદ્રસૂરિ મહારાજે યોગદૃષ્ટિ સમુચ્ચયમાં ત્રણ પ્રકારે અવંચક કહ્યા છે. (૧) યોગ અવંચક (૨) ક્રિયા અવંચક અને (૩) ફળ અવંચક. અવંચક એટલે કદી પણ નહિ ઠગનારા, એટલે એ નિમિત્ત તે કાર્ય માટે અનુકૂળ છે. કાર્યકારી પણ જોઈએ એટલે કાર્ય કરે જ, એવું જ જોઈએ, એ નિષ્ફળ ન જાય અને એવી જે ઘટના એ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy