SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૨૧ છે. બળદ ઘાણીમાં ફરતો હતો અને ઘાંચી બેઠો હતો. એક વકીલ ત્યાં આવ્યો. તેણે કહ્યું. ‘‘ભાઈ તું બળદને ફેરવ પણ આંખે પાટા શું કામ બાંધે છે ?'' ઘાંચી કહે કે ‘‘બોલશો નહિ, બળદ સાંભળી જશે અને સાંભળ્યા પછી એમ કહે કે પાટા છોડી નાખો તો ગોળ ગોળ નહિ ફરે, એ સીધો ચાલવા માંડશે, આંખે પાટા બાંધ્યા હશે તો ગોળ ગોળ ફરશે.’’ આ રીતે મત અને માન્યતાના પાટા બાંધ્યા હશે તે પણ ગોળ ગોળ ફરશે, પાટા છૂટી જાય તો ગોળ ગોળ નહિ ફેરવી શકાય. જીવનમાં અધ્યાત્મની, ખાસ કરીને આત્મબોધની, આત્મ અનુભૂતિ અથવા આત્મ દર્શનની ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે બે કારણ કામ કરે છે. (૧) ઉપાદાન કારણ અને (૨) નિમિત્ત કારણ. આ સમગ્ર વિશ્વની નિયત વ્યવસ્થા છે. તમે આ વ્યવસ્થાને તોડી નહિ શકો, ઉપાદાનમાં ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે ઘટના ઘટવામાં જે સહાયક પરિબળ હાજર હોય તેને કહેવાય છે-નિમિત્ત કારણ અને તે અનિવાર્ય છે. બીજ ઊગે છે, બીજ વૃક્ષ બને છે પણ એ બીજ તિજોરીમાં નહિ ઊગે. લાખ રૂપિયાની તિજોરી હશે, તમે તેમાં બીજ પણ મૂકશો તો બીજ નહિ ઊગે. એ બીજને ઉગાડવું હશે તો ખેતરમાં જ ઉગાડવું પડશે. એને પાણી જોઈશે, ખાતર જોઈશે, માવજત જોઈશે. ઊગે છે બીજ, ખીલે છે બીજ, વિકસે છે બીજ. ઘટના ઘટે છે બીજમાં અને બીજમાં જે છૂપાઈને રહ્યું હશે તે જ બહાર આવશે. જમીન તેને બહાર નથી લાવતી, બીજમાં પોતાનું સામર્થ્ય છે, તેમ આત્માનું પણ પોતાનું સામર્થ્ય છે અને એટલા જ માટે એમ કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય” સિદ્ધ અવસ્થામાં આત્મ દ્રવ્યનો, તેના અનંતગુણો સાથે, એની અનંત પર્યાયો સાથે પૂરેપૂરો વિકાસ થયો. ચૈતન્ય કમળ પૂરેપૂરું ખીલી ગયું. હવે ખીલવાનું કંઈ બાકી રહ્યું નથી. આત્મા પૂરેપૂરો ખીલ્યો. એના અસંખ્યાત પ્રદેશો, પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો, તેની અનંત પર્યાયો, એ આખું આત્મદ્રવ્ય પૂરેપૂરું ખીલ્યું, વિકસ્યું, તે સિદ્ધ અવસ્થા, હવે કંઈ ખીલવામાં બાકી નથી. એ સિદ્ધ અવસ્થામાં જે આત્મ દ્રવ્ય ખીલ્યું, તે આત્મ દ્રવ્ય નિગોદ અવસ્થામાં હતું ત્યારે પણ તેની પાસે તે સામર્થ્ય હતું. અપર્યાપ્ત નિગોદ અવસ્થામાં આપણે હતા અને સિદ્ધો પણ હતા. સિદ્ધો પણ જે ખીલ્યા છે, તેઓ અપર્યાપ્ત નિગોદ અવસ્થામાં જે વખતે હતા ત્યારે પણ ટોટલ મૂડી તેમની પાસે હતી. તેના માટે એક શબ્દ વાપર્યો તિરોભૂત, એ અંદર છૂપાયેલ છે. પીપરના ગાંગડા આવે છે. વૈદક શાસ્ત્રમાં કહ્યું છે કે પીપરના ગાંગડાને ચોસઠ પ્રહ૨ (૧૯૨ કલાક) સુધી ઘૂંટવામાં આવે, લસોટવામાં આવે ત્યારે એ ગાંગડા મટી જાય અને ચોસઠ પ્રહરી પીપર (દવા) બની જાય. તે રાઈના દાણા જેટલી લો તો પણ શરદી મટી જાય. આ ચોસઠ પ્રહરી પીપર થઈ તેમાં શક્તિ આવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy