SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ પડે. મારા માટે જ આવ્યા છે. માટે જગતમાં એક જ સદ્ગુરુ નથી પણ દરેક વ્યક્તિ માટે અલગ અલગ સદ્ગુરુ છે. ગુરુ વ્યક્તિગત અલગ અલગ છે પણ તેમાં સગુરુપણું અલગ અલગ નથી. વ્યક્તિ જુદી જુદી હોઈ શકે પણ સગુરુત્વ એક જ. સગુરુ તત્ત્વ એક જ, એને કહેવાય સામાન્ય. જેમ સો ઘડા છે-ઘડા જુદા જુદા પણ ઘટત એક જ. સદગુરુપણું હજારો ગુરુમાં એક સરખું, પણ વ્યક્તિ જુદી જુદી નિશ્ચિત, પર્ટીક્યુલર ગુરુ. વ્યક્તિગત સદગુરુ હોઈ શકે, જેનાથી જેને બોધ થવાનો હોય. ભગવાન મહાવીરને નયસારના જન્મમાં, માર્ગ ભૂલીને જંગલમાં આવેલા એક સદ્ગુરુના નિમિત્તે બોધ થયો. આદિનાથને ધન સાર્થવાહના જનમમાં ધર્મઘોષ આચાર્ય ગુરુ તરીકે મળ્યા, તેનાથી બોધની પ્રાપ્તિ થઈ. સદ્ગુરુની અવસ્થા અંદર જુદી જુદી નથી. સદ્ગુરુ વ્યક્તિ તરીકે જુદા જુદા છે. શરીર જુદા હોય, વાણી જુદી હોય પણ અવસ્થા જુદી નથી. પ્રશ્ન શિષ્યના પક્ષે છે, મુમુક્ષુના પક્ષે છે. સદ્ગુરુના પક્ષે કોઈ પ્રશ્ન જ નથી. સદ્ગુરુ એટલા બધા નિરાગ્રહી છે કે તમે એમને હાથ જોડીને કહો “ગુરુદેવ! આ તમારી વાત અમારે સાંભળવી નથી, તેઓ કહેશે કે તમને ગમે તે કરો. ધન્યવાદ. તેઓ તમને વળગશે નહિ કે ના, ના, સાંભળો ને સાંભળો, એમ નહિ કહે. ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતાના છેલ્લા અધ્યાયમાં કહ્યું કે “યથેચ્છસિ તથા કુરુ’ તને યોગ્ય લાગે તેમ કર, પણ છેલ્લે અર્જુને કહ્યું કે, “ભગવાન કૃષ્ણ ! આ ઘટના મારામાં ઘટી, મારો મોહ નષ્ટ થયો અને મારા અસ્તિત્વની સ્મૃતિ પ્રાપ્ત થઈ.' શેનાથી થયું? કયા પરિબળથી થયું? તો કહે ““તમારી કૃપાથી થયું.' અર્જુન પોતાની સામે આંગળી ચીંધીને કહી શકત, પણ તેમ ન કહ્યું. તમારા પ્રસાદથી હું સ્થિર થયો, મારા સંદેહ બધા દૂર થયા. મારગ સાચા મિલ ગયા ઓર મિટ ગયા સંદેહ.' સાચો માર્ગ મળ્યો અને સંદેહ બધા મટી ગયા. વર્ષો થયા છતાં આપણે સંદેહના ચગડોળમાંથી બહાર નથી આવતા. આપણે ગોળ-ગોળ ફરીએ છીએ. वादांश्च प्रतिवादांश्च वदन्तोऽनिश्चितांस्तथा। તત્ત્વાન્ત મૈવ ઋત્તિ, તિરુપીવાતી II (જ્ઞાનસાર) વાદ અને પ્રતિવાદ આ નિરંતર ચાલે છે. એમાંથી તત્ત્વનો નિશ્ચય થઈ શકતો નથી. ઘાંચીનો બળદ ઘાણીએ સવારથી જોડાયો, સાંજના છૂટવાનો. તેની આંખે પડદા છે. હું ઠેઠ મુંબઈથી વલસાડ પહોંચ્યો, એમ તેને લાગતુ હશે, પણ પાટા છોડે ત્યારે હતો ત્યાંનો ત્યાં. કડવું લાગે તો ભલે, અનંતકાળથી આપણે ખૂબ ફર્યા પણ ત્યાંના ત્યાં છીએ. વહ સાધન બાર અનંત કિયો તદપિ હજુ કછુ હાથ ન પર્યો. ઘાણીના બળદને ગોળ ગોળ ફેરવવો હોય તો તેના આંખે પાટા બાંધવા એ જ ઉપાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy