SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૧૯ વાત કરી પણ દર્શનમોહન ગયો. ‘તે પામર પ્રાણી', આટલું કહ્યું હોત તો બરાબર પણ તે જ્ઞાનીનો દ્રોહ કરે છે. જગતમાં કોઈનો દ્રોહ ન કરશો. દ્રોહ એટલે છેતરવાં, વિશ્વાસઘાત કરવો, કોઈનો દ્રોહ કરવાનો નથી તો જ્ઞાનીનો દ્રોહ તો ક્યારેય પણ કરાય નહીં. આત્મબોધની ઘટના શિષ્યના આત્મામાં ઘટે છે, બહાર ઘટતી નથી. આ ઘટના દેહમાં નથી ઘટતી, ઈન્દ્રિયોમાં નથી ઘટતી, મનમાં નથી ઘટતી, આ ઘટના ઘટે છે આત્મામાં ભીતર. - આ આત્મબોધની ઘટના ઘટે છે ત્યાં અજ્ઞાત પરિબળ દર્શનમોહનો ઉપશમ છે, પણ જ્યારે આ ઘટના ઘટે છે ત્યારે બહારમાં કયું પરિબળ કામ કરે છે? કયું સાધન અનિવાર્યપણે કામ કરે છે? એ અંદરની ઘટના ઘટતી વખતે અંદર દર્શનમોહનો ઉપશમ થાય છે. ત્યારે બહારમાં શું પરિસ્થિતિ હોય છે? શું સંયોગ હોય છે? ક્યુ સહાયકારી પરિબળ ત્યાં કામ કરે છે? તે સાધન છે એક માત્ર સગુરુ. સદ્ગુરુ એક માત્ર સાધન અને એના માટે શાસ્ત્રોમાં શબ્દ વાપર્યો નિમિત્ત. નિમિત્ત મઝાનો શબ્દ છે. કુંભાર ઘડો બનાવે છે, કર્તા કુંભાર છે, ઘડો બને છે માટીમાંથી પણ સાધન જોઈએ ચક્ર અને દંડ, દંડ ચક્રને હલાવવા માટે છે. દંડ ગોળ ગોળ ચાકડો ફેરવે એટલે ઘડાને ઘાટ મળે, ચાકડો ફેરવવા માટે દંડ જોઈએ. થોડીકવાર પછી તમે જોશો તો માટીના પીંડામાંથી એક મઝાનું વાસણ, મઝાનો ઘડો કે જો તૈયાર થાય છે પણ તે માટે દંડ અને ચક્ર જોઈએ. ઘટના ઘટે છે માટીમાં પણ જે વખતે ઘટના ઘટે ત્યારે દંડ અને ચક્ર બન્ને હાજર હોય છે, તેને કહેવાય છે નિમિત્ત. આ ઘટના ઘટ્યા પછી તમે ઘડો ખરીદીને લાવ્યા, માટલું જ આવ્યું. કુંભાર આવ્યો? ચાકડો આવ્યો? ના, આપણે ઘડો ખરીદવા જઈએ અને કુંભાર પણ સાથે આવે અને દંડ અને ચક્ર પણ સાથે આવે ખરા ? ના. ઘડો ઘડાઈ ગયો પછી દંડ, ચક્ર છુટ્ટા. કુંભાર પણ છુટ્ટો. સમ્યગદર્શનની અદ્ભુત ઘટના સદ્ગુરુની હાજરીમાં ઘટે છે, છતાં તેઓ કહેવા નહીં આવે કે મેં તમને સમ્યગદર્શન આપ્યું. “આભાર'' એમ ન કહો તો પણ વાંધો નહીં. આ દશમી ગાથાથી થોડી ગાથાઓ પ્રશ્નાર્થ સ્વરૂપે છે. પ્રશ્ન પરમકૃપાળુ દેવનો નથી પણ પ્રશ્ન આપણો છે. પ્રશ્ન સગુનો નથી પણ સદ્ગુરુ માટેનો છે. આવી આત્મબોધની અભુત ઘટના જ્યારે ધરતી ઉપર ઘટે તો કોની હાજરીમાં ઘટતી હશે? તે અમારે જાણવું છે. પરમકૃપાળુ દેવ કહે છે એ ઘટના જેની હાજરીમાં ઘટે તેને કહેવાય છે સદ્ગુરુ. દરેક ચેતના માટે નિશ્ચિત થયેલા સદ્ગુરુ હોય છે. કોઈના માટે નિમિત્ત કારણ ભગવાન મહાવીર હોય છે અને કોઈના માટે નિમિત્ત કારણ ગણધર ગૌતમ સ્વામી હોય અને એ જ આવવા જોઈએ, અને તે જ આવશે. જરા સમજવા કોશિશ કરજો. એ જ આવીને ઊભા રહેશે તમારે બોલાવવા નહિ પડે પણ તમારે શું કરવું? તમારે પારખવું પડે, જાણવું પડે, સમજવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy